Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદમાં વરસાદથી શાળાઓમાં થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા DEOનો મોટો નિર્ણય: રવિવારે પણ શાળાઓ ચાલુ રાખી શકાશે

અમદાવાદમાં વરસાદથી શાળાઓમાં થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા DEOનો મોટો નિર્ણય: રવિવારે પણ શાળાઓ ચાલુ રાખી શકાશે

આજકાલ 1 week ago

મદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી. સતત રજાઓના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ (સિલેબસ) સમયસર પૂર્ણ ન થતાં પાછળ રહી ગયો હતો. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા અને સિલેબસ સમયસર પૂરો કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO - અમદાવાદ શહેર) દ્વારા તમામ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

સ્થાનિક સ્થિતિ મુજબ રવિવારે વર્ગો ચલાવવાની સ્વૈચ્છિક છૂટ

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર (પ્રાઈવેટ) શાળાઓના સંચાલકો જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ શાળા ચાલુ રાખી શકશે. રવિવારની આ વિશેષ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દરમિયાન શાળાઓમાં બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવો, વિદ્યાર્થીઓ માટે પુનરાવર્તન (રિવિઝન) વર્ગો યોજવા તેમજ મૂલ્યાંકન જેવી મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી શકાશે.

વિદ્યાર્થીઓની સુરક્ષા અને વાલીઓની મંજૂરી પ્રાથમિકતા રહેશે

આ વ્યવસ્થા અમલમાં મૂકતી વખતે શાળાઓએ કેટલાક કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રવિવારે શાળા શરૂ કરવા માટે શાળાઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને હવામાનની વર્તમાન સ્થિતિને પ્રથમ પ્રાથમિકતા આપવાની રહેશે. આ ઉપરાંત, રવિવારની શાળા અંગે વાલીઓને અગાઉથી યોગ્ય જાણ કરવાની રહેશે અને શિક્ષકોની ઉપલબ્ધતા અને સંમતિને ધ્યાનમાં રાખીને જ આ સમગ્ર આયોજન કરવાનું રહેશે. DEOના આ નિર્ણયથી વિદ્યાર્થીઓનો સિલેબસ સમયસર પૂર્ણ કરવામાં મોટી મદદ મળશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati