રાજ્યમાં શાળાઓ ખુલવા અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આગામી 11મી જાન્યુઆરીથી ધોરણ 10થી 12 માટે શાળાઓ શરૂ કરવામાં આવશે. આ સાથે જ તેમણે એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે શાળામાં હાજરી ફરજીયાત નથી. શાળાઓએ sop નું પાલન કરવું જરૂરી રહેશે.
આ સાથે જ UG, PG ના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય પણ શરૂ થશે. શિક્ષણમંત્રીએ માસ પ્રમોશન અંગે પણ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની હાલ કોઇ વિચારણા નથી. જેટલો અભ્યાસ કરાવવામાં આવ્યો છે તેટલા અભ્યાસક્રમમાંથી પરીક્ષા લેવામાં આવશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Aajkaal Gujarati