ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં ફરીથી લોકડાઉન અમલમાં આવશે તેવી ચર્ચાઓએ વેગ લીધો હતો. તેવામાં ચર્ચા એવી પણ સામે આવી હતી કે મુખ્યમંત્રીના સચિવે દરેક જિલ્લાના કલેકટરને આ અંગે રિપોર્ટ આપવા પણ આદેશ કર્યા છે. તેવામાં રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, લોકડાઉન ફરીવાર જાહેર થશે નહીં.
સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યમાં લોકડાઉન જાહેર થશે તેવી કોઈ શક્યતાઓ નથી.
આ સાથે જ મુખ્ય સચિવે કલેક્ટર સાથે કે અન્ય અધિકારીઓ સાથે આ અંગે કોઈ વીડિયો કોન્ફરન્સ કરી રિપોર્ટ આપવા નથી જણાવ્યું. એટલે કે લોકોએ ફરીથી લોકડાઉન અંગે ચિંતા કરવાની જરૂર નથી.
