પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રાજ્યના કર્મચારીઓને જુલાઈ ૨૦૨૧ તથા જાન્યુઆરી-૨૦૨૨ના મોંઘવારી બે હપ્તાની રકમનો લાભ આપવા માગણી કરી છે.ભોળાભાઈએ જણાવ્યું છે કે, કેન્દ્રના કર્મચારીઓને જાન્યુઆરી-૨૦૨૨થી મોંઘવારીના ભથ્થામાં ૩ ટકાનો વધારો કરી આપવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના કર્મચારીઓને ગત જુલાઈ-૨૦૨૧થી ૩ ટકાનો વધારો ચૂકવવાનો લાંબા સમયથી બાકી છે.
કેન્દ્રની સાથે જ રાજ્યના કર્મીઓને મોંઘવારીના હપ્તાની રકમ સમયસર ચૂકવવા કાર્યવાહી થવાના બદલે કર્મચારીઓને મોંઘવારીના હપ્તાની રકમ ચૂકવવામાં બિનજરૂરી વિલંબ કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ને ધ્યાનમાં રાખી જુલાઈ-૨૦૨૧ના બાકી રહેતા ૩ ટકા તથા જાન્યુઆરી-૨૦૨૨ના ૩ ટકા મળી કુલ ૬ ટકાની રકમ એરિયર્સ સાથે કર્મચારીઓને વહેલીતકે મળે તેવી કાર્યવાહી જરીછે.

