Dailyhunt
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ

CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના બેટિંગ કોચ માઈકલ હસીએ ખુલાસો કર્યો છે કે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પગની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં મેદાન પર પાછો ફરશે. 44 વર્ષીય ધોનીને સિઝનની શરૂઆત પહેલા પગની ઇજા થઈ હતી જેના કારણે તે ત્રણ અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહ્યો હતો.

ધોની ક્યારે પાછો ફરશે?

હસીએ શનિવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "આશા છે કે, તે શક્ય તેટલી વહેલી તકે પાછો ફરશે. મને ખબર નથી કે તે કાલે અથવા કદાચ તે પછીની મેચ હશે પરંતુ તેની રિકવરી ખૂબ સારી રીતે ચાલી રહી છે. હું જાણું છું કે તે તેની દોડવાની ગતિ વધારી રહ્યો છે અને તે કદાચ મુશ્કેલ પાસું હતું. મને લાગે છે કે કૌશલ્યની દ્રષ્ટિએ અમે તેની બેટિંગ અને વિકેટકીપિંગમાં ખૂબ વિશ્વાસ ધરાવીએ છીએ, પરંતુ અમારે ફક્ત ખાતરી કરવી પડશે કે તે સારી દોડવાની ક્ષમતા જાળવી રાખે ખાસ કરીને ઇનિંગ્સના અંતે જ્યારે તેને સિંગલ્સ અને ડબલ્સ મેળવવા માટે ઝડપથી દોડવાની જરૂર હોય છે."

- મુંબઈ ઈન્ડિયન્સની 8 મેચમાં માત્ર 2 જીત, હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે, જાણો સમીકરણ

હસીએ કહ્યું કે IPL મેચ રમવાનો અંતિમ નિર્ણય ધોની પર છે. બેટિંગ કોચે કહ્યું, "તેને (ધોની) તેની ઈજા અંગે એકદમ સ્વસ્થ થઈ જવા પર સંપૂર્ણ વિશ્વાસ હશે મને ખાતરી છે કે તે સંકેત આપશે કે તે રમવા માટે તૈયાર છે. હાલ માટે અમે તેની સૂચનાઓનું પાલન કરી રહ્યા છીએ. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે આખું ચેન્નાઈ રાહ જોઈ રહ્યું છે."

ધોની ડગઆઉટમાં પણ કેમ દેખાતો નથી?

મેચના દિવસોમાં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સના ડગઆઉટમાં જોવા મળ્યો નથી. બેટિંગ કોચ હસીએ સમજાવ્યું કે વિકેટકીપર-બેટ્સમેને ધ્યાન ભંગ ન થાય તે માટે મેચોમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. કેટલીક IPL ટીમો તેમના ખેલાડીઓને હોટેલમાં રહેવાની મંજૂરી આપે છે કારણ કે નિયમો ડ્રેસિંગ રૂમમાં ફક્ત 18-20 ખેલાડીઓને જ રહેવાની મંજૂરી આપે છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita