2022 માં 2 બેઠકો જીતી હતી ભાજપે
તમને જણાવી દઈએ કે પંજાબમાં ભાજપે 2022 માં માત્ર 2 બેઠકો મેળવી હતી. વીતેલા દિવસોમાં પંજાબથી આમ આદમી પાર્ટીના 6 સહિત કુલ 7 રાજ્યસભા સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આપ છોડીને ભાજપમાં જનારા પ્રમુખ ચહેરાઓમાં રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક છે. સંદીપ અને રાઘવ વિશે એવો દાવો કરવામાં આવે છે કે વર્ષ 2022 માં આમ આદમી પાર્ટીને ચૂંટણી જીતવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
... West Bengal Elections Result: 'બિહારની...', PM મોદીનું એ જૂનુ નિવેદન, જે બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ થઈ રહ્યું છે વાયરલ" href="https://gujarati.abplive.com/news/india/pm-modi-to-visit-bjp-headquarters-after-bengal-assam-election-victory-979155" target="_self">
બીજી તરફ, પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 ના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું, 'પશ્ચિમ બંગાળમાં ભાજપને સ્વામી વિવેકાનંદની સનાતન સંસ્કૃતિ, સુભાષ ચંદ્ર બોઝની ભારત માતા અને રવીન્દ્રનાથ ટાગોરના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. હવે અમે કહી શકીએ છીએ કે ભારતની સાંસ્કૃતિક રાજધાનીમાં ભગવો લહેરાઈ ગયો છે. આ 'વિકસિત ભારત' ના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું ડગલું છે.'