Dailyhunt
છત્તિસગઢના પ્રથમ મુખ્યમંત્રીનો પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અમિત જોગી 'રાજકીય હત્યા'માં દોષી જાહેર

છત્તિસગઢના પ્રથમ મુખ્યમંત્રીનો પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અમિત જોગી 'રાજકીય હત્યા'માં દોષી જાહેર

અબતક 1 week ago

2007માં નીચલી અદાલતે 31માંથી 28 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી

છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અમિત જોગીની મુશ્કેલીઓ વધી છે. વર્ષ 2003માં થયેલી એનસીપી નેતા રામ અવતાર જગ્ગીની હત્યાના કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતનો નિર્ણય પલટી નાખ્યો છે. હાઈકોર્ટે અમિત જોગીને આ ગુનામાં દોષિત જાહેર કર્યા છે અને તેમને 3 અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવા માટે આદેશ આપ્યો છે.

4 જૂન, 2003ના રોજ રાયપુરમાં એનસીપી નેતા રામ અવતાર જગ્ગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એવો આરોપ હતો કે આ એક રાજકીય ષડયંત્ર હતું. સીબીઆઈએ આ કેસમાં અમિત જોગી સહિત 31 લોકોને આરોપી બનાવ્યા હતા.

2007માં નીચલી અદાલતે 28 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ પુરાવાના અભાવે અમિત જોગીને નિર્દોષ જાહેર કર્યા હતા. સીબીઆઈ અને પીડિત પરિવાર દ્વારા આ મુક્તિને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે માન્યું કે અમિત જોગી આ કાવતરામાં સામેલ હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak