રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કે.જી. સિસોદિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી કેદી નં.51731 ફિરોઝભાઇ અબ્દુલભાઇ બેલીમ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રીલોકધામ શેરી નં.3 વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉપરોક્ત આરોપી ફિરોઝભાઈ અબ્દુલભાઈ બેલીમ હાઇકોર્ટના આદેશથી આરોપીને પેરોલ લીવ પર જેલમુક્ત કરવામાં આવ્યો હતો. જોકે તા.10 એપ્રિલ 2026ના રોજ પરત જેલમાં હાજર થવાનું હોવા છતાં હાજર ન થતા ઉપરોક્ત આરોપીને ફરાર જાહેર કર્યો છે.

