

રાજકોટ તા. ૧૯ : રાજ્ય સરકારે જિલ્લા, રાજ્ય કે દેશ બહાર વસતા કોઇપણ દાતા અથવા ગામના વ્યકિતના દાન અને સરકારના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવા દાતાઓને પ્રોત્સાહન આપવા માટે 'માદરે વતન યોજના' અમલમાં મૂકી છે. ગઇકાલે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુકત સચિવશ્રી જયદીપ દ્વિવેદીની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. નજીકની પંચાયત કચેરીનો સંપર્ક સાધી શકાય છે. પંચાયત વિભાગનો ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૫૦૧
પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાતીઓ સમગ્ર દેશ અને દુનિયામાં વસે છે, પરંતુ વતનના સંભારણા અને વતન પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં સદાય જીવંત હોય છે.
No Internet connection |