Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અભિનેત્રી ટ્વિશા શર્મા હત્યા કેસમાં નવો વળાંક

અભિનેત્રી ટ્વિશા શર્મા હત્યા કેસમાં નવો વળાંક

ધ્ય પ્રદેશના બહુચર્ચિત મોડેલ અને એક્ટ્રેસ ટ્વિશા શર્મા મોતના કેસમાં એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ મામલામાં AIIMS ભોપાલ અને દિલ્હીના મેડિકલ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી ફાઇનલ ફોરેન્સિક રિપોર્ટ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ને સોંપી દેવામાં આવી છે. 11 પેજની આ વિસ્તૃત રિપોર્ટ સંપૂર્ણપણે સીલબંધ કવરમાં સોંપાઈ છે, જેમાં વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે મેડિકલ બોર્ડ દ્વારા અંતિમ અભિપ્રાય આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અહેવાલમાં લીગેટર માર્ક (ગળે ટૂંપો આપવાના નિશાન) ને લઈને અત્યંત મહત્વના ખુલાસા થયા છે, જે કેસની દિશા બદલી શકે છે.

જિમ્નાસ્ટિક બેલ્ટ અને ગળાના ઘા વચ્ચે કનેક્શન

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, AIIMS ની ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઘટનાસ્થળેથી મળી આવેલા જિમ્નાસ્ટિક બેલ્ટ પરથી માનવ ત્વચાના ટિશ્યુ (Skin Tissues) મળી આવ્યા છે. આ સિવાય ટ્વિશાના ગળા પર જે ઘા અને ઈજાના નિશાન હતા તેની પેટર્ન આ જિમ્નાસ્ટિક બેલ્ટની ડિઝાઇન સાથે સંપૂર્ણપણે મેચ થાય છે. અગાઉ થયેલા પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ઘાનું સાચું કારણ સામે આવી શક્યું નહોતું, કારણ કે તે સમયે સ્થાનિક મેડિકલ ટીમને તપાસ માટે આ બેલ્ટ આપવામાં આવ્યો નહોતો. જ્યારે કેસમાં આ જ બેલ્ટનો ઉપયોગ કરાયો હોવાની પ્રબળ આશંકા હતી. આ જ કારણે ટ્વિશાના પરિવારની માંગણી પર મધ્ય પ્રદેશ હાઈકોર્ટે શવનું બીજી વાર પોસ્ટમોર્ટમ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો હતો.

24 May ના રોજ થયું હતું બીજું પોસ્ટમોર્ટમ

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના કડક આદેશ બાદ, AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટરે ફોરેન્સિક મેડિસિન વિભાગના ટોચના ડોક્ટરોની એક વિશેષ મેડિકલ બોર્ડ ટીમની રચના કરી હતી. આ ટીમે 24 May ના રોજ ટ્વિશાના પાર્થિવ દેહનું બીજી વખત કાળજીપૂર્વક પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ દરમિયાન ડોક્ટરોની ટીમે ભોપાલ સ્થિત ટ્વિશાના સાસરીયાના ઘર (સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહના નિવાસસ્થાન) ની રૂબરૂ મુલાકાત લઈને ક્રાઇમ સીનનું રી-ક્રીએશન પણ કર્યું હતું. હાઈકોર્ટના નિર્દેશ અનુસાર, રિપોર્ટની એક નકલ CBI ને, એક મધ્ય પ્રદેશ હાઈકોર્ટને અને એક AIIMS ના ડાયરેક્ટરને સબમિટ કરવામાં આવી છે. જોકે, ટ્વિશાના મોત પાછળ હત્યા છે કે આત્મહત્યા, તે અંગે મેડિકલ બોર્ડના અંતિમ તારણની સત્તાવાર વિગત હજુ જાહેર કરાઈ નથી.

12 May ના રોજ સાસરીયામાં શંકાસ્પદ મોત

ઉલ્લેખનીય છે કે, ગત 12 May ના રોજ ટ્વિશા શર્માનું તેના સાસરીયાના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહે તેને આત્મહત્યા ગણાવીને પોલીસને જાણ કરી હતી, જ્યારે ટ્વિશાનો પતિ સમર્થ સિંહ ઘટના બાદ તરત જ ફરાર થઈ ગયો હતો. ઘરની અંદર લાગેલા CCTV ફૂટેજની તપાસ કરતા જોવા મળ્યું હતું કે, ટ્વિશા પહેલા ઉપરના માળે જતી દેખાય છે અને થોડીવાર પછી તેનો પતિ સમર્થ અન્ય 2 people સાથે ટ્વિશાના મૃતદેહને નીચે લાવતો નજરે પડે છે. આ ફૂટેજના આધારે અને ટ્વિશાના પિયર પક્ષના ગંભીર આરોપોને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઘટનાના 10 days બાદ એટલે કે 22 May ના રોજ પતિ સમર્થ સિંહે આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ પોલીસે સાસુ ગિરિબાલાની પણ ધરપકડ કરી લીધી હતી. હાલ આ સમગ્ર કેસની ઉંડાણપૂર્વકની તપાસ CBI ચલાવી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha