Dailyhunt
મુંબઈ: બોરીવલીમાં પુસ્તકમેળા સાથે સર્જક ગોષ્ઠિનું આયોજન

મુંબઈ: બોરીવલીમાં પુસ્તકમેળા સાથે સર્જક ગોષ્ઠિનું આયોજન

મુંબઈમાં ગુજરાતી સાહિત્ય અને કલા સંબંધિત વિવિધ કાર્યક્રમોના આયોજન થતાં હોય છે. ત્યારે બોરીવલીમાં પુસ્તકમેળો અને સાથે જ ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બોરીવલીમાં આગામી 2મે થી 11 મે સુધી પુસ્તકમેળો યોજાવાનો છે અને આ સાથે જ સર્જક ગોષ્ઠી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર અને પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય પુસ્તક મેળાનું બોરીવલી સાઈબાબા નગરમાં યોજાશે.

 કિશોર પટેલ અને સમીરા પત્રાવાલા

3મેના રોજ બે જાણીતા વાર્તાકાર કિશોર પટેલ અને સમીરા પત્રાવાલા ટૂંકી વાર્તા વિશે ગોષ્ઠિ કરશે. આ સાથે જ અન્ય ભાષાની વાર્તાઓ વિશે પણ વાત માડશે. ઉલ્લેખનીય છે કે બંને સર્જકો ભાવકો સાથે સંવાદ પણ કરશે. કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવશે. પુસ્તક મેળો અને કાર્યક્રમ દૈવી ઈટરનીટી ,એમ કે એમ ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર ખાતે બોરીવલીમાં આયોજીત છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha