Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
થાઇરોઈડનાં દર્દીઓ માટે આ 5 ફૂડ કાળ સમાન, આ ફૂડ ખાવાની સાથે જ   તકલીફ વધી શકે છે!!

થાઇરોઈડનાં દર્દીઓ માટે આ 5 ફૂડ કાળ સમાન, આ ફૂડ ખાવાની સાથે જ તકલીફ વધી શકે છે!!

થાઇરોઇડની સમસ્યામાં કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી થાઇરોઇડ ગ્લેન્ડની કાર્યપ્રણાલીને પ્રભાવિત કરી શકે છે. તમે થાઇરોઇડથી પીડિત છો તો કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન કરતા બચવું જોઇએ, કારણ કે આ હોર્મોનલ બેલેન્સને બગાડી શકે છે. આ 5 ખાદ્ય પદાર્થોનું સેવન થાઇરોઇડનાં દર્દીઓએ કરવું જોઈએ નહીં. તો જાણો આ વિશે વધુમાં…

આ વસ્તુઓ ખાવાનું ટાળો

સોયા પ્રોડક્ટ્સ

સોયામાં રહેલું ફાઇટોએસ્ટ્રોજેન અને કેટલાક કેમિકલ્સ થાઇરોઇડ હોર્મોનના પ્રોડક્શનને ઓછું કરે છે. જ્યારે શરીરમાં આયોડીનની ઉણપ થાય ત્યારે થાઇરોઇડ ગ્લેન્ડનાં કામમાં તકલીફ કરી શકે છે. આમ, તમે સોયાનું સેવન ઓછી માત્રામાં તેમજ ક્યારેક-ક્યારેક કરી શકો છો.

Goitrogenic Foods

ગોઇટ્રોજન એક પ્રકારનું કેમિકલ હોય છે જે થાઇરોઇડ ગ્લેન્ડનાં આકારને વધારી શકે છે અને હોર્મોનલનું ડિસબેલેન્સ કરી શકે છે. ગોઇટ્રોજેનિક ફૂડમાં ખાસ કરીને લીલા શાકભાજી (જેમ કે બ્રોકલી, બ્રસલ સ્પ્રાઉટ્સ) શક્કરિયા અને મૂળા શામેલ છે. આ ફૂડ પ્રોડક્ટ્સને તમે જ્યારે ખાઓ ત્યારે સીમિત માત્રામાં ખાઓ.

ગ્લૂટેન (Wheat, Barley, Rye)

કેટલાક થાઇરોઇડનાં દર્દીઓને ગ્લૂટેનથી એલર્જી થઈ શકે છે જે આંતરડાની સમસ્યા અને થાઇરોઇડનાં લક્ષણોને વધારી શકે છે. ગ્લુટેન ખાસ કરીને એ લોકો માટે હાનિકારક છે જેમાં સીલિયક ડિસીઝ અને ગ્લૂટેન સેન્સેટિવિટી હોય છે. આમ, તમને ગ્લૂટેનની એલર્જી છે તો તમે ગ્લૂટેન ફ્રી ડાયટમાં એડ કરો.

પ્રોસેસ્ડ ફૂડ્સ અને સુગર

પ્રોસેસ્ડ ફૂડ્સ અને વધારે સુગર લેવલ ફૂડ પ્રોડક્ટ્સ શરીરમાં સોજા લાવવાનું કામ કરે છે. આ હોર્મોનલ ડિસબેલેન્સને વધારી શકે છે. તમે પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરો છો તો થાઇરોઇડનાં કામને પ્રભાવિત કરી શકે છે. આ સાથે ઇન્ફ્લેમેશન વધી શકે છે. આ માટે તાજા ફળ અને શાકભાજીનું સેવન કરો. સુગર અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો.

કેફીન અને શરાબ

વધારે માત્રામાં કેફીન અને શરાબનું સેવન કરવાથી થાઇરોઇડનાં હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. આ હોર્મોનલ ડિસબેલેન્સનું કારણ બની શકે છે. આ થાઇરોઇડ ગ્લેન્ડને પ્રભાવિત કરી શકે છે. આ માટે ઓછી માત્રામાં કેફીન અને શરાબનું સેવન કરો. આ માટે તમે એક્સપર્ટની સલાહ લઈ શકો છો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: GK Maru Gujarat