Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ahmedabad: ચાંદખેડા બાળકી મોત કેસમાં નવો વળાંક, અઢી મહિનાની રાહાનાના PM રિપોર્ટમાં મોટો ખુલાસો

Ahmedabad: ચાંદખેડા બાળકી મોત કેસમાં નવો વળાંક, અઢી મહિનાની રાહાનાના PM રિપોર્ટમાં મોટો ખુલાસો

Gujarat First 2 weeks ago
  • Ahmedabad બાળકી મોત કેસમાં નવો વળાંક: રાહાનાના પીએમ રિપોર્ટમાં તબીબોનો મહત્વનો ખુલાસો!
  • અઢી મહિનાની રાહાનાના પીએમ રિપોર્ટમાં સંજોગો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અભિપ્રાય આપવા પર રોક
  • બીજે મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગ દ્વારા રિપોર્ટમાં ઘટનાસ્થળની સ્થિતિ પર અપાયો ભાર
  • બાળકીના મોત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે એફએસએલ અને સંજોગોની તપાસ અનિવાર્ય
  • પરિવારની બીજી ત્રણ વર્ષની બાળકી મિષ્ટીનો પીએમ રિપોર્ટ હજુ પણ પોલીસને મળવો બાકી
  • બંને બાળકીઓના મોતનું કારણ સ્પષ્ટ થયા બાદ જ પોલીસ કોઈ અંતિમ તારણ પર પહોંચશે

અમદાવાદ (Ahmedabad): શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ કેસમાં હવે અઢી મહિનાની બાળકી રાહાનાના (Rahaana) પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને મહત્વની વિગતો સામે આવી છે. બીજે મેડિકલ કોલેજના (BJ Medical College) ફોરેન્સિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી પીએમ નોટમાં (Post-Mortem Note) કેટલીક ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Ahmedabad: અઢી મહિનાની રાહાનાના પીએમ રિપોર્ટ

ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી સમગ્ર ઘટનાના સંજોગો અને સ્થિતિને (Circumstantial Evidence) સંપૂર્ણપણે ધ્યાને લેવામાં ન આવે, ત્યાં સુધી મોતનું ચોક્કસ કારણ અથવા અંતિમ અભિપ્રાય આપી શકાય તેમ નથી. રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે બાળકીના શરીરમાં જોવા મળેલા ચિહ્નો અને આસપાસની પરિસ્થિતિ વચ્ચે કોઈ કડી ખૂટે છે. આ સ્થિતિમાં પોલીસ તપાસ અને એફએસએલના (FSL) અન્ય રિપોર્ટ્સનું સંકલન કરવું અનિવાર્ય બની ગયું છે.

ત્રણ વર્ષની બાળકી મિષ્ટીનો પીએમ રિપોર્ટ પેન્ડિંગ

બીજી તરફ, આ જ પરિવારની ત્રણ વર્ષની બાળકી મિષ્ટીનો (Mishti) પીએમ રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મિષ્ટીના પીએમ રિપોર્ટ બાદ જ બંને બહેનોના મોતમાં કોઈ સમાન પેટર્ન છે કે કેમ તે સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં આ ફૂડ પોઈઝનિંગનો (Food Poisoning) કિસ્સો હોવાનું મનાતું હતું, પરંતુ પિતા દ્વારા એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ જેવી ઝેરી દવા ખરીદવાની વાત સામે આવ્યા બાદ તપાસની દિશા હત્યા કે આત્મહત્યા તરફ વળી છે. હવે તબીબો અને પોલીસ બંને મિષ્ટીના રિપોર્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે જેથી આ ગૂંચવાયેલા કેસનો પર્દાફાશ થઈ શકે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First