Dailyhunt
Studio On Wheels: કાઠિયાવાડથી કર્ણાટક સુધીની સફર, ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાના 50 વર્ષના રાજકારણનો નીચોડ

Studio On Wheels: કાઠિયાવાડથી કર્ણાટક સુધીની સફર, ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાના 50 વર્ષના રાજકારણનો નીચોડ

Gujarat First 3 days ago
  • Studio On Wheels માં વજુભાઈ વાળા (Vajubhai Vala) સાથે વિશેષ સંવાદ
  • કાઠિયાવાડથી કર્ણાટક (Kathiyawad to Karnataka) સુધીનો પ્રવાસ
  • સાબરમતી જેલવાસ (Sabarmati Jail) અને જનસંઘની (Jansangh) લડત
  • વજુભાઈ વાળાનો મંત્ર: ફળની આશા વગર કામ કરનાર નેતા જ ટકી શકે
  • પહેલાનું રાજકારણ VS આજનું રાજકારણ: વજુભાઈએ સમજાવ્યો તફાવત

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) માં પહોંચી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા (Vajubhai Vala) સાથે વિશેષ સંવાદ યોજવામાં આવ્યો હતો.

જેમાં કાઠિયાવાડથી કર્ણાટક સુધીની ભવ્ય રાજકીય સફર ખેડનાર વજુભાઈએ રાજકોટના વિકાસ, ઈમરજન્સીના દિવસો અને વર્તમાન રાજનીતિ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

Studio On Wheels માં વજુભાઈ વાળા (Vajubhai Vala) સાથે વિશેષ સંવાદ

સૌરાષ્ટ્રના ભીષ્મ પિતામહ (Bheeshma Pitamah) ગણાતા વજુભાઈ વાળાએ રાજકોટના બદલાયેલા સ્વરૂપ વિશે વાત કરતા ભૂતકાળના સંઘર્ષોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે વર્ષ 1985માં જ્યારે રાજકોટમાં ભયંકર દુષ્કાળ (Drought) પડ્યો હતો, ત્યારે સ્થિતિ અત્યંત વિકટ હતી. તે સમયે કેન્દ્ર સરકાર (Central Government) તરફથી કોઈ વિશેષ મદદ મળતી નહોતી અને લોકો પાસે ટેક્સ (Tax) લેવો પણ શક્ય નહોતો. આવી સ્થિતિમાં પણ ભાજપ શાસિત કોર્પોરેશને (Corporation) ગલીએ ગલીએ ટેન્કર (Tanker) મોકલીને પાણીની વ્યવસ્થા કરી હતી.

નર્મદાનું આગમન થતા સ્થિતિ બદલાઈ

વજુભાઈ વાળાએ જણાવ્યું કે, અગાઉ રાજકોટ માત્ર ભાદર અને આજી ડેમ પર નિર્ભર હતું, પરંતુ હવે મા નર્મદાનું આગમન થતા સ્થિતિ બદલાઈ છે. પાણીના કારણે જ શહેરમાં મોટા પાયે બાંધકામ ક્ષેત્ર ડેવલોપ થયું અને નવી રોજગારી ઊભી થઈ.છેલ્લા 15 વર્ષમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પુષ્કળ ગ્રાન્ટ આપી છે.આજે નર્મદાના નીર આવવાથી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) માટે મળેલા ભંડોળથી રાજકોટનો 90 ટકાથી વધુ વિકાસ થયો છે અને રોજગારી (Employment) પણ વધી છે.

રાજકારણમાં મૂલ્યો અને પક્ષ પલટાની નીતિ

વર્તમાન રાજનીતિ અને પહેલાના સમય વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા વજુભાઈએ જણાવ્યું કે, અગાઉના સમયમાં રાજકારણમાં સિદ્ધાંતો (Principles) અને નૈતિક મૂલ્યોનું વિશેષ મહત્વ હતું. પહેલા કાર્યકરો સેવાભાવથી આવતા અને કોર્પોરેટર (Corporator) આખો દિવસ પોતાના વિસ્તારમાં હાજર રહેતા. તે સમયે પક્ષ પલટો (Defection) ભાગ્યે જ જોવા મળતો હતો. તેમણે કહ્યું કે આજે ભલે વહીવટી તંત્ર (Administration) મજબૂત થયું હોય, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોના કામ માટે સક્રિય રહેવું જરૂરી છે.

ઈમરજન્સીના કડવા અનુભવો, 'ખુમારી સાથે જીવવાનો સંદેશ'

ઈમરજન્સી (Emergency) એટલે કે કટોકટીના કાળા દિવસોને યાદ કરતા વજુભાઈએ જણાવ્યું કે તેઓ સાબરમતી જેલમાં (Sabarmati Jail) સાડા અગિયાર મહિના રહ્યા હતા. જનસંઘના (Jansangh) કાર્યકર્તાઓ તે સમયે ભય વગર મર્દાનગી અને ખુમારી સાથે જેલમાં ગયા હતા. તેમણે સંદેશ આપ્યો કે જીવનમાં મુશ્કેલી ભલે આવે, પણ તે હંમેશા ખુમારી (Grace and Grit) સાથે જીવવું જોઈએ. માણસ જો મનનો મજબૂત હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિને (Adverse Situation) પણ માત આપી શકે છે.

વડાપ્રધાન મોદીનું વૈશ્વિક નેતૃત્વ અને 'વેરના વળામણા'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) કાર્યશૈલીના વખાણ કરતા વજુભાઈએ કહ્યું કે તેઓ 'વેરના વળામણા' કરવાની નીતિમાં માને છે. વેર બાંધવા કરતા દુશ્મનાવટને પ્રેમથી દૂર કરવી એ ભારતીય સંસ્કૃતિનો (Indian Culture) ભાગ છે. પીએમ મોદી સૌને સાથે લઈને (Inclusivity) ચાલે છે, જેના કારણે આજે આખા વિશ્વમાં (World) ભારતનું નામ રોશન થયું છે. તેમણે ઉમેર્યું કે જે નેતા માત્ર ફળની આશા રાખે છે પણ કામ નથી કરતો તેનું પતન (Downfall) નિશ્ચિત છે.

યુવાનો માટે સંદેશ: ટેકનિકલ કૌશલ્ય જ આર્થિક સંકટનો ઉકેલ

દેશના ભવિષ્ય અને આર્થિક સ્થિતિ વિશે વાત કરતા વજુભાઈએ સૂચન કર્યું કે જો દેશના યુવાનો વધુને વધુ ટેક્નિશિયન (Technicians) બનશે, તો ભારત પર ક્યારેય આર્થિક સંકટ (Economic Crisis) નહીં આવે. એક કુશળ કારીગર (Skilled Artisan) ક્યારેય ભૂખ્યો નથી મરતો. આજે ભારત સંરક્ષણ ક્ષેત્રે (Defense Sector) પણ મજબૂત બની રહ્યું છે અને દુનિયાને શસ્ત્રો (Arms and Weapons) સપ્લાય કરી રહ્યું છે. તેમણે ચંદ્રયાન (Chandrayaan) જેવી સફળતાઓનો ઉલ્લેખ કરી યુવાનોને નવી તકો (Opportunities) ઝડપવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો: Ambalal Patel ની મોટી આગાહી! આગામી 48 કલાકમાં ગરમી વધશે, તમારા શહેરમાં કેટલું રહેશે તાપમાન?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First