રાજકોટમાં લોકડાઉન: રસ્તાઓ ઉપર માનવતા દીપી ઉઠી
આજે કેટલાય એવા લોકો છે. જેમને એક ટંકનું ભોજન પણ મળતું નથી. અને એવાય કેટલાક લોકો છે જેવો ભુખ્યા ન સુવે માટે રાજકોટમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ભુખ્યાઓને ભોજન પિરસી રહી છે. ત્યારે રાજકોટ રાષ્ટ્રીય કરણી સેનાએ ગરીબો માટે કરિયાણાની કીટની વ્યવસ્થા કરી છે. તેલ, લોટ, ચોખા, કઠોડ, મરચું, મીઠું જેવી જીવનજરૂરી વસ્તુઓનું લોકોને આવા સમયે દાન આપવામાં આવી રહ્યું છે કરણી સેનાનાં ચંદુભા પરમાર, યોગી તલાટીયા, ધમભા સહિતના યુવાનો ગરીબોની સેવા માટે અનેક વિસ્તારોમાં પહોંચી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે.

