Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આત્મિક વિકાસથી સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના મજબૂત બને છે : વડાપ્રધાન મોદી

આત્મિક વિકાસથી સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના મજબૂત બને છે : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કહ્યું, ''આત્મિક વિકાસ વ્યક્તિની અંદર સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સંચાર કરે છે. આનાથી પ્રેરિત થઈને આજે આપણી યુવા શક્તિ, દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે.'' વડાપ્રધાન મોદીએ આ વિચાર 'એક્સ' પર સુભાષિતમ શેર કર્યો હતો.

આ સુભાષિતમ્ છે, आत्मोदयः परज्यानिर्द्वयं नीतिरितीयती। तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रतायते।।

તેનો અર્થ છે કે, નીતિનું વાસ્તવિક સ્વરૂપ બે ઉદ્દેશ્યોને સાથે લઈને ચાલે છે: સ્વયંનું ઉત્થાન અને બીજાનું કલ્યાણ, જે લોકો આ બંને આદર્શોની ઉપેક્ષા કરીને ફક્ત શબ્દોનું પ્રદર્શન કરે છે, તેમની વિદ્વાનતા ફક્ત વાગ્જાળ બનીને રહી જાય છે. મહત્વપૂર્ણ છે કે આ સુભાષિતમ્ તરીકે પ્રયુક્ત આ શ્લોક સંસ્કૃત મહાકાવ્ય 'શિશુપાલવધમ્'માંથી લેવામાં આવ્યો છે. તેના રચયિતા મહાકવિ માઘ છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati