Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોમનાથ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વહેલી સવારથી મેઘસવાર

સોમનાથ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વહેલી સવારથી મેઘસવાર

સોમનાથ,7 જુલાઈ (હિ.સ.) સોમનાથ જિલ્લામાં પાંચ છ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ખેડૂતોમાં એક આનંદની લાગણી પણ જોવા મળી રહી છે જ્યારે પાણીવાળા વિસ્તારોમાંખેડૂતોએ વાવેલા આગોતરા મગફળી ના પાકને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે બીજી તરફ

અમુક વિસ્તારોમાં પાણી ન હોવાને કારણે વાવણી થઈ શકે તેમ નો હોય ત્યારે ખેડૂતો એની આતુરતાપૂર્વક રાહ જો રહ્યા હતા તે આખરે મેઘરાજા ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સુત્રાપાડા તાલાળા કોડીનાર ઉના અને ગીર ગઢડામાં મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે એક દિવસના વિરામ બાદ ફરી એકવાર ગીર સોમનાથ આજેજિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ અને કાળા દિમાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો ઇસીય રહ્યા છે કે થોડો વિરામ આપે તો વાવણી કરી શકાય હાલ તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati