Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ત્રિપુરાની ધર્મનગર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

ત્રિપુરાની ધર્મનગર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

અગરતલા, નવી દિલ્હી, 04 એપ્રિલ (હિ.સ.): ત્રિપુરાના ધર્મનગર વિધાનસભા મતવિસ્તાર માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જીત મેળવી છે. ભાજપે તેના નજીકના હરીફ ભાકપા (એમ) ને 18290 મતોથી પરાજિત કર્યા છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતગણતરી સોમવારે સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. ધર્મનગર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જહર ચક્રવર્તીએ 24291 મત મેળવીને વિજય મેળવ્યો છે.

તેમના નજીકના હરીફ ભાકપા (એમ) ના ઉમેદવાર અમિતાભ દત્તાને કુલ 6001 મત મળ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર ચયન ભટ્ટાચાર્યને માત્ર 5936 મત જ મળ્યા છે. જ્યારે, 444 મતદારોએ નોટા પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ડિસેમ્બર, 2025 માં ત્રિપુરા વિધાનસભાના પૂર્વ સ્પીકર બિશ્વા બંધુ સેનના નિધનને કારણે આ પેટાચૂંટણી યોજાઈ હતી. ગત 9 એપ્રિલે થયેલા મતદાનમાં 79.84 ટકા મતદારોએ ભાગ લીધો હતો.

આ જીતની સાથે, 60 સભ્યોની વિધાનસભામાં ભાજપની બેઠકોની સંખ્યા વધીને 33 થઈ ગઈ છે, જ્યારે તેના સાથી પક્ષોમાં ટીપરા મોથા પાર્ટી (ટીએમપી) પાસે 13 ધારાસભ્યો અને ઈન્ડિયન પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી) પાસે એક ધારાસભ્ય છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati