Dailyhunt
ખેડૂત આંદોલનકારી નેતાઓને હાઈકોર્ટે તતડાવ્યા, શસ્ત્રો સાથે દેખાવો બદલ ઉઠાવ્યો પ્રશ્ન

ખેડૂત આંદોલનકારી નેતાઓને હાઈકોર્ટે તતડાવ્યા, શસ્ત્રો સાથે દેખાવો બદલ ઉઠાવ્યો પ્રશ્ન

Hum Dekhenge News 2 years ago
  • આ ખૂબ જ શરમજનક બાબત છે કે તમે લોકો આંદોલનમાં બાળકોને આગળ કરી રહ્યા છો: હાઇકોર્ટ

ચંડીગઢ, 7 માર્ચ: પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં આજે ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારી નેતાઓ અને વકીલોને ફટકાર લગાવી હતી. તે જ સમયે, શુભકરણના મૃત્યુની તપાસને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કડક વલણ દાખવ્યું જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધ કરતા અનેક ફોટોગ્રાફ્સ બતાવ્યા. ફોટો જોયા બાદ હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારીઓ પર મોટી ટિપ્પણી કરી છે અને કહ્યું કે, "આ ખૂબ જ શરમજનક બાબત છે કે તમે લોકો આંદોલનમાં બાળકોને આગળ કરી રહ્યા છો, તમે કેવા માતાપિતા છો અને તલવાર સાથે શાંતિપૂર્ણ વિરોધ કોણ કરે છે?

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, બંને રાજ્યો આ સમગ્ર મામલે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે. જે માટે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવશે.

સુનાવણી દરમિયાન સરકારે અનેક તસવીરો રજૂ કરી

સુનાવણી દરમિયાન હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધની અનેક તસવીરો બતાવી હતી. ફોટો જોયા બાદ હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું હતું અને ખેડૂત આંદોલનકારીઓ પર મોટી ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે, "પ્રદર્શન બાળકોની આડમાં થઈ રહ્યું છે અને તે પણ હથિયારો સાથે. તમે લોકોને અહીં ઊભા રહેવાનો પણ અધિકાર નથી." હાઈકોર્ટે વિરોધીઓને કહ્યું કે, "શું તમે ત્યાં કોઈ યુદ્ધ કરવા જઈ રહ્યા છો? આ પંજાબની સંસ્કૃતિ નથી. તમારા નેતાઓની ધરપકડ થવી જોઈએ. તમે લોકો નિર્દોષ લોકોને આગળ કરી રહ્યા છો, તે ખૂબ જ શરમજનક છે. કોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા તેને વારંવાર શરમજનક ગણાવ્યું હતું.

આંદોલનને શાંતિપૂર્ણ ગણાવનારા વકીલોને કોર્ટે ઠપકો આપતા કહ્યું કે, "અહીં ઊભા રહીને બોલવું ખૂબ જ સરળ છે. શું તમે પટિયાલાની ઘટના ભૂલી ગયા છો? જ્યારે એક પોલીસ અધિકારીનો હાથ કપાઈ ગયો હતો." હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે, "કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્ણ વિરોધ કરે છે?"

કેવી રીતે થયું હતું શુભકરણનું મૃત્યુ?

બીજી તરફ શુભકરણનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ બહાર આવ્યો છે. શુભકરણસિંહનું પટિયાલાના ખનૌરીમાં અવસાન થયું હતું. હવે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના મૃત્યુનું કારણ હથિયારથી થયેલી ઈજા હોવાનું જણાવવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈજા આ હથિયારથી થઈ હતી. શુભકરણના માથામાં પિત્તળના છરા પણ મળી આવ્યા હતા. બીજી તરફ હરિયાણાની બોર્ડર પર ખેડૂતો ઉભા છે. હાલમાં દિલ્હી કૂચને લઈને કોઈ પ્રગતિ થઈ નથી.

UPમાં 13 હજાર ગેરકાયદેસર મદરેસાઓ બંધ કરવાની ભલામણ, ગલ્ફ દેશોના ફંડિંગથી બનતા હોવાનો દાવો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News