લાંબા સમયથી બંધ સર્વિસ રોડ શરૂ થવાની વાહન ચાલકોમાં આશા
રાજકોટ શહેરની ભાગોળે બાયપાસ ઉપર આજીડેમ ચોકડી પાસે બે વર્ષ પહેલા ધસી પેલી ઓવરબ્રીજની દિવાલ બે નિર્દોષ લોકોનો ભોગ લીધા બાદ લાંબા સમયથી આ સ્થળે તૂટી પડેલા બ્રીજનો માચો ઢાંકી રાખી ટ્રાફિક સમસ્યાને ભયંકર રીતે વકરાવવામાં આવતી હતી. અંતે લાંબા સમય બાદ નેશનલ હાઈ-વે ઓથોરીટીની સંવેદના જાગી છે અને તૂટી પડેલી બ્રીજની દિવાલનો કાટમાળ હટાવી સર્વિસ રોડ ખુલ્લો કરવાની તૈયારી શરુ કરવામાં આવી છે. નેશનલ હાઈ-વે ઓથોરીટી દ્વારા તૂટી પડેલી ઓવરબ્રીજની દિવાલનું કામ ફરી શરુ કરવામાં આવ્યું છે. પરિણામે આ દિવાલનું કામ પૂર્ણ થયા બાદ આજીડેમ ચોકડીના ઓવરબ્રીજનો એક તરફનો લાંબા સમયથી બંધ સર્વિસ રોડ શરુ થવાની વાહનચાલકોમાં આશા જાગી છે.
The post આજીડેમ ચોકડીએ ઘસી પડેલી બ્રીજની દીવાલનું કામ આખશે શરૂ appeared first on Jai Hind.

