હરિદ્વારમાં ચાની દુકાનમાં ફાંસીએ લટકતો મળ્યો મૃતદૃેહ
નોઈડાના બહુચર્ચિત નિઠારી કાંડમાં આરોપી રહેલા સુરેન્દ્ર કોલીનું હરિદ્વારમાં મોત થયું છે. શુક્રવારે ઉત્તર હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં લાલમાતા મંદિૃર સામે આવેલી એક ચાની દૃુકાનમાં તેનો મૃતદૃેહ ફાંસીએ લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દૃીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ આશરે ૫૦ વર્ષીય સુરેન્દ્ર કોલી પુત્ર શંકુ રામ, નિવાસી ગામ મંગરુખાલ, ભિકિયાસૈણ, અલ્મોડા તરીકે થઈ છે. જણાવવામાં આવી રહૃાું છે કે સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક મહિનાથી હરિદ્વારમાં રહેતો હતો અને ભૂપતવાલા વિસ્તારમાં ચાની દૃુકાન ચલાવતો હતો. આ જ દૃુકાનની અંદૃર તેનો મૃતદૃેહ ફાંસીએ લટકતો મળી આવ્યો હતો. સુરેન્દ્ર કોલીનું નામ નોઈડાના નિઠારી કાંડ સાથે જોડાયેલા કેસોમાં સામે આવ્યું હતું. જોકે, ત્યારબાદૃની ન્યાયિક પ્રક્રિયામાં તેને નિર્દૃોષ જાહેર કરવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિઠારી હત્યાકાંડ સાથે જોડાયેલા અંતિમ કેસમાં તેની દૃોષસિદ્ધિને પડકારતી પુનર્વિચાર અરજી સ્વીકારવામાં આવ્યા બાદૃ તેની મુક્તિનો માર્ગ સાફ થયો હતો. હાલમાં હરિદ્વાર પોલીસ સુરેન્દ્ર કોલીના મોતના કારણોની તપાસ કરી રહી છે. પોલીસની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદૃ જ ઘટનાને લગતી અન્ય હકીકતો સ્પષ્ટ થઈ શકશે.
નિઠારી વિસ્તારમાં ૨૦૦૫-૦૬ દૃરમિયાન બાળકો અને મહિલાઓ ગુમ થવાની ઘટનાઓએ પોલીસની િંચતા વધારી દૃીધી હતી. સતત સામે આવી રહેલા આ કેસોની તપાસ દૃરમિયાન પોલીસ ૨૯ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ સેક્ટર-૩૧માં રહેતા વેપારી મોનિન્દૃર િંસહ પંઢેરની કોઠી ડ્ઢ-૫ સુધી પહોંચી હતી.

