Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેત બચાવો અભિયાન સંપન્ન

કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેત બચાવો અભિયાન સંપન્ન

4200થી વધુ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ-ખેતીલક્ષી માહિતીનું માર્ગદર્શન અપાયું

કોડિનારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.1 થી 30 જૂન, 2026 દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 'ખેત બચાઓ અભિયાન' અંતર્ગત વેરાવળ, સૂત્રાપાડા, કોડિનાર, ગીરગઢડા અને તાલાલા તાલુકાના 100 જેટલા ગામોમાં 4400 થી વધુ ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ પદ્ધતિઓ, અલનીનોની અસર અને તેના પગલા નિવારણ સહિતની ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જુદા-જુદા વિષય નિષ્ણાંતો દ્વારા જમીન ચકાસણીનું મહત્વ અને તેના દ્વારા ખેતી ખર્ચમાં થતા ઘટાડા વિશે, સંતુલિત ખાતરનો ઉપયોગ, લીલા પડવાશનું વાવેતર કરી જમીનની ફળદ્રુપતા વધારવા, પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેમના જુદા-જુદા ઘટકો વિશે તથા જૈવિક ખાતર અને ખેતીમાં અલનિનોની અસર વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વેરાવળના ચાંડૂવાવ ખાતે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી શ્રી ભગીરથ ચૌધરીએ ખેડૂતો સાથે ગોષ્ઠી કરી હતી તથા વેરાવળ ખાતે ખેત બચાઓ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસવાદ યોજાયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati