ગુજરાત માહિતી ખાતાની એક પ્રેસ રીલિઝમાં જણાવાયું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીને પણ એટલી જ અહેમિયત આપીને આપણે શ્વેતક્રાંતિ - હરિતક્રાંતિમાં પણ સ્વસ્થ-સમૃદ્ધ પશુધનથી અગ્રેસર થવું છે.
મુખ્યમંત્રી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવારના અભિનવ પ્રયોગ એવા 108 મોબાઇલ પશુ દવાખાનાનો લોકાર્પણ ગાંધીનગરમાં કરતાં સંબોધી રહ્યા હતા. વિજય રૂપાણીએ 10 ગામ દિઠ એક મોબાઇલ પ્રમાણે પ્રારંભિક તબક્કે 108 મોબાઇલ પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવતાં કહ્યું કે, 108ના આંકને શુભ માનવામાં આવે છે કેમ કે આપણી માળામાં પણ 108 મણકાંઓ હોય છે અને 108 જાપ કરવાથી સારું પરિણામ પણ પ્રાપ્ત થતું હોય છે એવી જ રીતે આજે 108 હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે.
આશા કાર્યકરોને અભિનંદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સ્વસ્થ ભારતની ખાતરી કરવામાં મોખરે છે. તેમનું સમર્પણ અને નિશ્ચય પ્રશંસનીય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા રવિવારે ભારતના 10 લાખ ASHA સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને WHO ડાયરેક્ટર-જનરલના ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં તમને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમે માત્ર 4500 રૂપિયા ભરીને 10 લાખ રૂપિયાની લોન લઈ શકો છો. તમને આ લોન PM મુદ્રા લોન હેઠળ મળશે.
PIB એ સાચું કહ્યું
તમને જણાવી દઈએ કે આ મેસેજની સત્યતા વિશે પીઆઈબીને ફેક્ટ ચેકિંગ દ્વારા જાણવા મળ્યું છે.
No Internet connection |