
તમિલનાડુમાં રાજકીય ગરમી વધી ગઈ છે. આ દરમિયાન, વેલ્લોર શહેરના એક વ્યક્તિએ 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા લાંચ સામે જાગૃતિ ફેલાવવાનું કામ હાથમાં લીધું છે. 'હું મારા મત માટે પૈસા નહીં લઉં, મારો મત વેચાણ માટે નથી.' એવો સંદેશ પોતાની બાઇક પર લઈને તે આખા શહેરમાં ફરે છે, મતદારોને યોગ્ય રીતે મતદાનના મહત્વ વિશે સમજાવે છે.
એક સામાજિક કાર્યકર, નિવેદન કુમાર, ટ્રાફિક ઉલ્લંઘન, હેલ્મેટનો ઉપયોગ અને પ્લાસ્ટિક નાબૂદી જેવા વિવિધ નાગરિક મુદ્દાઓ પર સતત જાગૃતિ ફેલાવી રહ્યા છે. ચૂંટણીઓ નજીક આવતાની સાથે, તેમણે હવે સ્વચ્છ અને ન્યાયી મતદાન પ્રથાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
bpac.in આ જાતે વેપાર-ધંધો કરતા યુવક કામ માટે જાય તે સમયે એક બેનર લઈને જાય છે, જેમાં સંદેશા લખેલા હોય છે કે, 'પહેલો ભ્રષ્ટાચાર મત માટે પૈસા લેવાનો અને બીજો મત માટે પૈસા આપવાનો છે.' તેમણે પોતાની ગાડીની આગળના ભાગમાં ઝંડા જેવું બેનર પણ લગાવ્યું છે, જેના પર લખ્યું છે, 'હું મારા મત માટે પૈસા નહીં લઉં, મારો મત વેચાણ માટે નથી.' અને તેઓ લોકોમાં આના વિશે જાગૃતિ લાવવા માટે દરરોજ આખા શહેરમાં ફરે છે.
પોતાની પહેલ અંગે, નિવેદન કુમારે કહ્યું કે, જેમ સરકારી અધિકારીઓ પોતાની ફરજો બજાવવા માટે પૈસા લેતા હોય છે તેને ભ્રષ્ટાચાર માનવામાં આવે છે, તેમ નાગરિકો મતદાનની લોકશાહી જવાબદારી નિભાવવા માટે પૈસા લેતા હોય છે તે પણ લાંચ લેનારા ગણવા જોઈએ. હું લાંચ સામે ઝુંબેશ ચલાવી રહ્યો છું. જેમ સરકારી અધિકારીઓ પોતાની ફરજો બજાવવા માટે લાંચ સ્વીકારે છે, તે ભ્રષ્ટાચાર માનવામાં આવે છે, તેમ નાગરિકો મતદાનની લોકશાહી જવાબદારી નિભાવવા માટે પૈસા સ્વીકારે છે, જેનાથી છેવટે સરકાર બનતી હોય છે, તેને પણ ભ્રષ્ટાચાર માનવામાં આવે છે.
bpac.in લોકોએ સમજવું જોઈએ કે, આ ભ્રષ્ટાચારનું પહેલું સ્વરૂપ છે. એટલા માટે હું આ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છું. મારો ઉદ્દેશ્ય દરેક મતદાતાને પ્રતિજ્ઞા કરાવવાનો છે કે, તેમનો મત વેચાણ માટે નથી અને તેમના મત વેચ્યા વિના મતદારો ચૂંટણીમાં મત આપવાની પ્રક્રિયામાં 100 ટકાની ભાગીદારી નોંધાવે તે સુનિશ્ચિત કરવાનો છે. તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન કરવામાં આવશે, જેમાં રાજ્યના તમામ 234 મતવિસ્તારોને આવરી લેવામાં આવશે. મત ગણતરી 4 મેના રોજ કરવામાં આવશે.

