Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટમાં લવજેહાદનો કિસ્સો સામે આવતા સર્જાયો વિવાદ

રાજકોટમાં લવજેહાદનો કિસ્સો સામે આવતા સર્જાયો વિવાદ

Mantavya News 2 weeks ago

Rajkot News: રાજકોટમાં લવજેહાદ(Love Jehad) નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ઓમનગર સર્કલ રહેતી યુવતીને શિકાર બનાવવામાં આવી છે. વિધર્મીએ યુવતીને શિકાર મચાવતા હોબાળો મચી ગયો છે. અફઝલ દલ નામના વિધર્મી યુવકે હિંદુ યુવતીને શિકાર બનાવતા રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. આ અફઝલ દલ નામનો યુવાન અને યુવતી બંને જોડે નોકરી કરતા હતા.

 Love Jehadની ચોંકાવનારી ઘટના રાજકોટમાં બની

Love Jehadનો ચોંકાવનારો કિસ્સો

મુસ્લિમ યુવાન લગ્નની નોંધણી કરાવવા ગયો ત્યારે આખો મામલો બહાર આવ્યો હતો. યુવતીના માતાપિતાએ તરત જ જ્ઞાતિના અગ્રણીઓને આ લવજેહાદ (Love Jehad)ના બનાવ અંગે જાણ કરી હતી. તેઓએ તરત જ લગ્નની અરજી રદ કરાવી હતી. આ વાતની જાણ થવાના પગલે વિશ્વ હિંદુ પરિષદ(VHP)ના આગેવાનો પણ દોડી આવ્યા હતા અને આ બનાવ સામે હોબાળો મચાવ્યો હતો. હાલમાં પીડિતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. કુટુંબીજનોની માંગ છે કે તેમની પુત્રી તેમને પરત આપવામાં આવે.

 Love Jehadની ચોંકાવનારી ઘટના રાજકોટમાં બની

ગર્ભની કોથળી કઢાવી નાખી છે તેમ કહેતા વિધર્મીએ પોત પ્રકાશ્યું

યુવતીની માતાએ જણાવ્યું હતું કે અમને અમારી દીકરી પરત જોઈએ છે. મારે તો બે દીકરી જ છે. અમારા કુટુંબનો આધાર દીકરી જ છે. આ રીતે તે મુસ્લિમને પરણીને જતી રહે તો અમારે જાવુ ક્યા. આના કારણે તો અમારે રઝળપાટ કરવાનો વારો આવે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હું મારી દીકરી તે વિધર્મીને પરણાવવા પણ તૈયાર હતી, પરંતુ મેં તેને જણાવ્યું કે તારે એને પરણવું હોય તો ઠીક પરંતુ તેની ગર્ભાશયની કોથળી કઢાવી નાખી છે. આ સાંભળીને આ યુવાન અને તેઓની માતા તો એમ કહે છે કે જો યુવતીને કોથળી ન હોય એટલે જો તે ગર્ભ ધારણ કરી શકતી ન હોય તો પછી અમારે તેની કોઈ જરૂર નથી. તમ તમારે તેને તમારી જોડે જ રાખો.

 Love Jehadની ચોંકાવનારી ઘટના રાજકોટમાં બની

હિંદુ યુવતીઓને ફસાવીને છોકરા પેદી કરી વેશ્યાવૃત્તિમાં ધકેલવાનું કાવતરુઃ VHP

આ સ્પષ્ટપણે બતાવે છે કે વિધર્મી યુવાનો હિંદુ છોકરીને ફક્ત છોકરા પેદા કરવા જ ફસાવે છે. તેઓનું ધ્યેય હિંદુ છોકરીઓને ફસાવીને વધુને વધુ છોકરા પેદા કરવાનું છે. વિશ્વ હિંદુ પરિષદના આગેવાન મીતાબેન સોમૈયાએ જણાવ્યું હતુ કે આ બનાવ બતાવે છે કે વિધર્મીઓ ફક્ત હિંદુ યુવતીઓને ફ્કત બાળકો પેદા કરવા જ ફસાવે છે. આ કામ થઈ ગયા પછી તે યુવતીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati