Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાજપના નેતાઓને પ્રવેશબંધી, મોરબી જીલ્લાના ૨૯ ગામોમાં નેતાઓએ મત માંગવા આવવું નહિ બેનરો લાગ્યા

ભાજપના નેતાઓને પ્રવેશબંધી, મોરબી જીલ્લાના ૨૯ ગામોમાં નેતાઓએ મત માંગવા આવવું નહિ બેનરો લાગ્યા

MorbiNews.in 1 week ago

જેતપર ગામે ખેડૂતો વીજ લાઈન વળતર મુદે લડત ચલાવી રહ્યા છે જોકે સરકાર મચક આપતી નથી ત્યારે ખેડૂતો પણ લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે લડત આપી રહ્યા છે જેમાં આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ નેતાઓએ મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવવાની જેતપર ગામે શરૂઆત કર્યા બાદ બે દિવસમાં જીલ્લાના ૨૯ ગામોમાં બેનરો લાગી ચુક્યા છે

વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહિ આવે તો આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવારોએ મત માંગવા આવવું નહિ તેવી શરૂઆત જેતપર ગામથી કરવામાં આવી હતી બાદમાં માત્ર બે દિવસમાં જેતપર, વાઘપર, જીકીયારી, વિશાલનગર, ખીરઈ, રોહીશાળા, શાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળી, લક્ષ્‍મીનગર, નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબડી, હરીપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી) દાદાશ્રીનગર, રોટરી ગામ (અમરનગર) , કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિયા તેમજ જબલપુર ગામમાં પણ બેનરો લાગી ચૂકયા છે મોરબી જીલ્લાના મોરબી, માળિયા, ટંકારા અને હળવદ તાલુકાના કુલ ૨૯ ગામોમાં બેનરો લાગ્યા છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new