Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘમહેર..ક્યા ગામમાં કેટલો વરસાદ.?

જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘમહેર..ક્યા ગામમાં કેટલો વરસાદ.?

My Samachar 2 weeks ago

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લામાં ગતરોજ વરસાદી માહોલ યથાવત રહ્યો પણ નોંધપાત્ર કહી શકાય તેવી મેઘમહેર માત્ર બે તાલુકાઓ જામજોધપુર અને કાલાવડમાં જ જોવા મળી..આ બન્ને શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થઇ ગયા…આજે સવારે 6 કલાકે પૂર્ણ થતા ચોવીસ કલાક દરમિયાન તાલુકા મથકના વરસાદના આંકડાઓ જોડીયામાં 1 ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ, લાલપુરમાં પોણો ઇંચ તો જામજોધપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.

તો ગ્રામીણ વિસ્તારોના PHC સેન્ટરોમાં નોંધાયેલ આંકડાઓ પર નજર કરવામાં આવે તો…કાલાવડના નવાગામમાં 4 ઇંચ, મોટા પાંચ્દેવડામાં 1 ઇંચ વરસાદ તો જામજોધપુર તાલુકાના સમાણા અને શેઠવડાળામાં 3 ઇંચ, જામવાડીમાં 4 ઇંચ, વાંસજાળિયામાં સાડા ચાર ઇંચ, ધુનડામાં સવા ઇંચ, ધ્રાફા અને પરડવામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયાનું સામે આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati