Ahmedabad Serial Blasts: વર્ષ 2008નો અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ આતંકવાદ સામેની ભારતની લડાઈના સૌથી મહત્ત્વપૂર્ણ અને દુઃખદ પ્રકરણોમાંનું એક છે. 26મી જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેર માત્ર 70 મિનિટના ગાળામાં થયેલા 21 સંકલિત બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું હતું. જાહેર સ્થળો અને હોસ્પિટલોને નિશાન બનાવતા આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેનાથી શહેરમાં અભૂતપૂર્વ ભય અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.
ન્યાયિક પ્રક્રિયા અને ચુકાદો
35 એફઆઈઆર અને 548 ચાર્જશીટ સાથેની વિસ્તૃત તપાસ બાદ, આ કેસ વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. લાંબા ટ્રાયલ દરમિયાન, સરકારી વકીલે 6000થી વધુ દસ્તાવેજી અને ભૌતિક પુરાવા રજૂ કર્યા હતા અને 1163 સાક્ષીઓની જુબાની નોંધવામાં આવી હતી.
ફાંસીની સજા પામેલા લોકોમાં સફદર નગોરીનો પણ સમાવેશ થાય છે, જે પ્રતિબંધિત સંગઠન 'સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (સિમી)'નો જનરલ સેક્રેટરી હતો. ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા આ જૂથ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં મહત્ત્વની કાર્યવાહી
સ્પેશિયલ કોર્ટના ચુકાદાની ગંભીરતાને કારણે ગુજરાત હાઈકોર્ટમાં મોટી કાનૂની પ્રક્રિયા શરૂ થઈ હતી. સ્પેશિયલ કોર્ટે 38 વ્યક્તિઓને મૃત્યુદંડ આપ્યો હોવાથી, ફોજદારી કાર્યરીતિ સંહિતા (CrPC) ની કલમ 366 હેઠળ સજાની પુષ્ટિ માટે આ કેસ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.
ફાંસીની સજાના દોષિતો
પીડિતો માટે વળતરની જાહેરાત
ગુજરાત હાઈકોર્ટે સજા યથાવત્ રાખવાની સાથે પીડિત પરિવારો માટે આર્થિક વળતરનો પણ મોટો ચુકાદો આપ્યો છે. આ ધડાકાઓમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરાયો છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને 1 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરવામાં આવ્યો છે. હાલમાં હાઈકોર્ટમાં આ મામલે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અને આ ઐતિહાસિક ચુકાદાથી પીડિતોને આખરે ન્યાય મળ્યો છે.
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ પાશ્વ ભૂમિકા
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરમાં સાંજે આશરે 70 મિનિટના ગાળામાં 21 સ્થળોએ એક પછી એક સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ હુમલાઓમાં 56 લોકોનાં મોત થયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શહેરમાં ભય અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ બાદ થોડા જ સમયમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં પણ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર દેશ હચમચી ગયો હતો.તપાસ પૂર્ણ થયા બાદ કુલ 78 આરોપીઓ સામે વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.

