કોરોના મહામારી અને લોકડાઉનને લીધે વિદ્યાર્થીઓને ભણતરમાં ભારે નુકસાનને પગલે નિર્ણય લેવાયો
એજન્સી, નવી દિલ્હી
કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનમાં દેશના તમામ વિદ્યાર્થીઓએ ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ છે. ભણતરમાં થયેલા નુકસાનને મુદ્દે વિદ્યાર્થીઓ પર વધી રહેલા દબાણને ઓછુ કરવા માટે CBSEએ 2020-21 માટે શાળાના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દીધો છે. CBSEએ 9થી 12 ધોરણના Syllabusમાં 30%નો ઘટાડો કર્યો છે.
HRD મંત્રી રમેશ પોખરિયાલે આ અંગેની માહિતી આપતા ટ્વીટ કરી હતી કે દેશ અને દુનિયામાં વર્તમાન સંકટને જોતા CBSEએ Syllabus ફેરબદલ કરવા અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે Syllabusનો દબાણ ઓછુ કરવા માટે ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત મહિને દિલ્હી ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ કોરોના મહામારીથી થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે તમામ ક્લાસિસ માટે 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરવાની સલાહ આપી હતી. શિક્ષા વિભાગની બેઠકમાં પણ તેમણે અભ્યાસક્રમ 30થી 50 ટકા ઓછો કરવાની વાત કરી હતી.
બીજી તરફ તાજેતરમાં જ કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ એક્ઝામિનેસન (CISCE) બોર્ડે 2021-21 સત્ર માટે ICSE અને ISC બોર્ડ પરીક્ષાઓના અભ્યાસક્રમમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Navgujarat Samay