Dailyhunt
ભાભર, વાવ, સુઈગામ  વિસ્તારમાં કેનાલોમાં પાણી છોડવા CMને પત્ર

ભાભર, વાવ, સુઈગામ વિસ્તારમાં કેનાલોમાં પાણી છોડવા CMને પત્ર

નવગુજરાત સમય > ભાભર

- બનાસકાંઠાના સરહદીના ભાભર વાવ અને સુઈગામ વિસ્તાર મોટેભાગે ખેતી પર નિર્ભર છે.આ વર્ષે ચોમાસુ સિઝનમાં શરૂઆતમાં વરસાદ નહિવત થતાં વાવેતર કરેલ ચોમાસું પાકો નિષ્ફળ ગયેલ છે.જેના કારણે ખેડૂતો સહિત પશુપાલકો માટે ઘાસચારાની પરિસ્થિતી વિકટ સર્જાઇ છે.અત્યારે આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલો પાણી વિના સુકી ભઠ દેખાઈ રહી છે.

જેથી આ વિસ્તારના ધારાસભ્યને ખેડૂતો દ્વારા કેનાલો માં પાણી છોડવા માટે રજૂઆત કરતા ધારાસભ્ય એ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી શિયાળું રવિ સિઝન વાવેતર માટે નો સમય થયેલ હોવાથી ભાભર,વાવ અને સુઈગામ તાલુકાને સિંચાઇ માટે પાણી છોડવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને કેનાલોમાંં પાણી છોડવા માંગ કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay