નવગુજરાત સમય > ભાભર
- બનાસકાંઠાના સરહદીના ભાભર વાવ અને સુઈગામ વિસ્તાર મોટેભાગે ખેતી પર નિર્ભર છે.આ વર્ષે ચોમાસુ સિઝનમાં શરૂઆતમાં વરસાદ નહિવત થતાં વાવેતર કરેલ ચોમાસું પાકો નિષ્ફળ ગયેલ છે.જેના કારણે ખેડૂતો સહિત પશુપાલકો માટે ઘાસચારાની પરિસ્થિતી વિકટ સર્જાઇ છે.અત્યારે આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલો પાણી વિના સુકી ભઠ દેખાઈ રહી છે.

