Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEET, CUET બાદ વિદ્યાર્થીઓનો આક્રોશ: NTA વિસર્જન અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

NEET, CUET બાદ વિદ્યાર્થીઓનો આક્રોશ: NTA વિસર્જન અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.

દેશમાં તાજેતરના NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડ પછી તરત જ CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં ગેરરીતિઓ અંગેનો વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. આ બે વિવાદો શાંત થાય તે પહેલા જ CUET પરીક્ષામાં વિલંબ અને અંધાધૂંધી નું વાતાવરણ જોવા મળ્યું. જે અંડર ગ્રેજ્યુએટ કોલેજ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લેવામાં આવે છે વિરોધ દરમિયાન ઘણા વિદ્યાર્થી કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને કાપશેરા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાખવામાં આવ્યા હતા અને તેમની અટકાયત અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ગેરરીતિઓના સતત ખુલાસા બાદ સોમવારે દિલ્હીમાં શિક્ષણ મંત્રાલયની બહાર અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી જૂથોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી(NTA) ના વિસર્જન અને પરીક્ષા સંબંધિત તમામ ગેરરીતિઓની સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ તપાસની માંગ પણ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. આમ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલી દેતી ગેરરીતિઓ સપાટી પર આવી હોવા છતાં કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય NTA અધિકારીઓ સામે લડક પગલાં લેવાને બદલે સતત આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ સ્પષ્ટપણે આ પરીક્ષાઓમાં હાજર રહેલા લાખો વિદ્યાર્થીઓ પ્રત્યેની તેની ઉદાસીનતા છતી કરે છે. અને આ પહેલીવાર નથી જ્યારે NTA અંગે પ્રશ્નો ઉભા થયા હોય. ભૂતકાળમાં પણ તેની કામગીરી સતત ગંભીર તપાસના વાદળ હેઠળ રહી છે. છેવટે NEET 2024 ના ફિયાસ્કોને કોણ ભૂલી શકે? આમ છતાં કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય NTA માટે જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળ રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti