Dailyhunt
Mumbai Mystery Death।  ઝેરી તરબૂચની થિયરી ફેલ! મુંબઈના ડોકડિયા પરિવારના કરુણ મોત પાછળ અસલી કારણ શું? હવે ફોરેન્સિક લેબના રિપોર્ટની રાહ

Mumbai Mystery Death। ઝેરી તરબૂચની થિયરી ફેલ! મુંબઈના ડોકડિયા પરિવારના કરુણ મોત પાછળ અસલી કારણ શું? હવે ફોરેન્સિક લેબના રિપોર્ટની રાહ

News Continuous 1 week ago

Mumbai Mystery Death। દક્ષિણ મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમયી મૃત્યુના મામલે તપાસ એજન્સીઓ માટે એક નવી દિશા ખૂલી છે. શરૂઆતમાં જે ખોરાક અને તરબૂચમાં મિલાવટની શંકા હતી, તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે.

ખાદ્યપદાર્થોમાં નથી મળી કોઈ ભેળસેળ

FDA ના અધિકારીઓના જણાવ્યા મુજબ, ડોકડિયા પરિવારના ઘરમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓમાં આર્ટિફિશિયલ સ્વીટનર કે હાનિકારક રંગો જેવી કોઈ મિલાવટ મળી નથી. ખાસ કરીને તરબૂચના કિસ્સામાં, તેમાં કદ વધારવા કે વધુ મીઠાશ લાવવા માટે વપરાતી સિન્થેટિક ડાઈઝ અથવા અન્ય કેમિકલ્સ સંપૂર્ણપણે ગેરહાજર જણાયા છે. આ તમામ પદાર્થો સ્ટાન્ડર્ડ ક્વોલિટીના હોવાનું રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.

બેક્ટેરિયલ ટોક્સિન્સની શક્યતા પર તપાસ

FDA એ સ્પષ્ટતા કરી છે કે તેમનો રિપોર્ટ માત્ર જાણીતા ભેળસેળિયા પદાર્થોની હાજરી તપાસવા માટે હતો. આ ખાદ્યપદાર્થોમાં કોઈ ઘાતક બેક્ટેરિયા કે સૂક્ષ્‍મજીવો દ્વારા પેદા થયેલું ઝેર (Toxins) હતું કે નહીં, તે હજુ સાબિત થયું નથી. મીટના નમૂના પ્રોટીન વિશ્લેષણ માટે BMC લેબમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય પુરાવાની તપાસ હવે ફોરેન્સિક ટીમના હાથમાં છે.

ભીંડી બજારમાં રહેતા અબ્દુલ્લા ડોકડિયા (૪૪), તેમની પત્ની નસરીન (૩૫) અને બે પુત્રીઓ આયશા (૧૬) તથા ઝૈનબ (૧૨) ના શનિવારે રાત્રે ભોજન બાદ એક પછી એક મોત થયા હતા. રવિવારે સવારે ૧ વાગ્યે ખાધેલા તરબૂચને આ મૃત્યુનું કારણ માનવામાં આવતું હતું. હાલમાં મૃતકોના વિસેરા (Visera) અને સ્ટમક વોશના સેમ્પલ કલિના ફોરેન્સિક લેબમાં રાખવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ જ મોતના અસલી કારણ પરથી પડદો ઉઠશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Continuous