સરકારી નિવૃત્ત કર્મીઓને ૭માં પગાર પંચનું એરિયર્સના ૮૦ ટકા ૪ હપ્તા જે ચુકવવાના બાકી છે તે ૩ વર્ષ કે તેથી વધુ સમયના નિવૃત્ત કર્મીઓને વહેલાસર ચુકવવા માટેની દરખાસ્ત રજૂ કરેલ છે. આ ઉપરાંત બાકી રહેતા ચાર હપ્તાની ૮૦ ટકા રકમ તહેવારો ટાણે ચુકવાય તેવી માંગણી કરાઇ છે.
૭માં પગાર પંચનું જાન્યુઆરી ૨૦૧૬ થી જુલાઇ ૨૦૧૭ના સમયગાળાનું ચડત એરિયર્સ જે ૫ હપ્તામાં ચુકવવાનું છે.
જેમાં માર્ચ ૨૦૧૯માં ફક્ત ૧ હપ્તો એરિયર્સ ચુકવાયેલ છે તેને પણ અઢી વર્ષ ઉપરનો સમય વિતી ગયો છે. જે કર્મચારીઓને નિવૃત્ત થયાને ૩ વર્ષ કે તેથી વધુ સમય વિત્યો હોય તેવા કર્મચારીઓના બાકીના ૪ હપ્તા (૮૦ ટકા) એરિયર્સ જે હજુ ચુકવવાનું બાકી છે તે વહેલાસર ચુકવી આપવા નિર્ણય કરવા માંગણી કરાઇ છે. નિવૃત્ત થયાના સમયગાળાની સિનિયોરીટી મુજબ ભાગ પાડીને ૪ વર્ષ, ૩.૭૫ વર્ષ, ૩.૫ વર્ષ એ રીતે દર એક કે બે મહિને બાકીનું એરિયર્સ ચુકવવું, અથવા ૩ વર્ષ કે તેથી વધુ સમયના નિવૃત્ત કર્મીઓને દર બે મહિને એક હપ્તો એ રીતે ૪ હપ્તા ૮ માસમાં ચુકવાનો વિકલ્પ પણ પસંદ કરી શકાય તેવી રજૂઆત નાણાં વિભાગમાં થવા પામી હતી.
- લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujrat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.
- તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
ખબરોથી અપડેટ રહેવા આપ અમને dailyhunt પર ફોલો કરી શકો છે

