
જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કડક સુરક્ષા વચ્ચે સોમવારે સવારે ૫,૭૯૪ યાત્રાળુઓનો એક સમૂહ જમ્મુથી અમરનાથ યાત્રા માટે રવાના થયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જૂથમાં ૧,૨૧૧ મહિલાઓ, ૨૧ બાળકો, ૫૯૯ સાધુઓ અને ૭૬ સાધ્વીઓનો સમાવેશ થાય છે.
સવારે ૩ઃ૧૦ થી ૩ઃ૪૫ વાગ્યાની વચ્ચે યાત્રાળુઓને અલગ-અલગ કાફલામાં વિદાય આપવામાં આવી. આમાંથી, ૩,૪૯૦ યાત્રાળુઓ ૧૩૯ વાહનોમાં પહેલગામના નુનવાન બેઝ કેમ્પ માટે રવાના થયા, જ્યારે ૨,૩૦૪ યાત્રાળુઓ ૧૨૮ વાહનોમાં બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા.
અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા શરૂ થયા પછી, લગભગ ૬૦,૦૦૦ યાત્રાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ વર્ષે ૩ જુલાઈથી યાત્રા શરૂ થઈ હતી.યાત્રાળુઓ પરંપરાગત ૪૮ કિલોમીટર લાંબા પહેલગામ-નુનવાન રૂટ અને ૧૪ કિલોમીટર લાંબા પરંતુ વધુ મુશ્કેલ બાલતાલ રૂટ દ્વારા મુસાફરી કરી રહ્યા છે. દક્ષિણ હિમાલયમાં સમુદ્ર સપાટીથી લગભગ ૩,૮૮૦ મીટરની ઊંચાઈ પર સ્થિતિ પવિત્ર ગુફા મંદિરથી શરૂ થતી ૫૭ દિવસની અમરનાથ યાત્રા ૨૮ ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.
સવારે ૩ઃ૧૦ થી ૩ઃ૪૫ વાગ્યાની વચ્ચે યાત્રાળુઓને અલગ-અલગ કાફલામાં વિદાય આપવામાં આવી. આમાંથી, ૩,૪૯૦ યાત્રાળુઓ ૧૩૯ વાહનોમાં પહેલગામના નુનવાન બેઝ કેમ્પ માટે રવાના થયા, જ્યારે ૨,૩૦૪ યાત્રાળુઓ ૧૨૮ વાહનોમાં બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા શરૂ થયા પછી, લગભગ ૬૦,૦૦૦ યાત્રાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ વર્ષે ૩ જુલાઈથી યાત્રા શરૂ થઈ હતી.યાત્રાળુઓ પરંપરાગત ૪૮ કિલોમીટર લાંબા પહેલગામ-નુનવાન રૂટ અને ૧૪ કિલોમીટર લાંબા પરંતુ વધુ મુશ્કેલ બાલતાલ રૂટ દ્વારા મુસાફરી કરી રહ્યા છે. દક્ષિણ હિમાલયમાં સમુદ્ર સપાટીથી લગભગ ૩,૮૮૦ મીટરની ઊંચાઈ પર સ્થિતિ પવિત્ર ગુફા મંદિરથી શરૂ થતી ૫૭ દિવસની અમરનાથ યાત્રા ૨૮ ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.
