દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ દાહોદ દ્વારા તારીખ ૦૭-૦૭-૨૦૨૬ થી ૨૭-૦૭-૨૦૨૬ સુધી દ્રષ્ટિ નેત્રાલય દાહોદ ખાતે મોતિયાના મફત ઓપરેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે. રોજ સવારના ૮ વાગ્યાથી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ ચાકલીયા રોડ દાહોદ જીઆઇડીસી પાસે મોતિયાના મફત તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નેત્રયજ્ઞ દાહોદ શહેર અને આસપાસના ગામોના ગરીબ અને જરિયાતવાળા લોકો લાભ લે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પમાં મોતિયા, ઝામર, ત્રાંસી આંખ, પડદા પરવાળા, બાળ મોતીયા તમામ આંખની તકલીફ વાળા દર્દીઓની તપાસ કરી દ્રષ્ટિ નેત્રાલય ખાતે ઓપરેશન વાળા દર્દીઓ માટે જમવાનું રહેવાનું તેમજ નેત્રમણી સાથે અત્યંત આધુનિક અને અધતન સગવડો થી સુસજજ દ્રષ્ટિ નેત્રાલય ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે. તપાસ કરાવવા આવનાર દર્દીઓએ રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે એક સગાને લાવવો ફરજીયાત છે. દ્રષ્ટિ નેત્રાલય દાહોદના પ્રબંધક ડાયરેકટર ડોક્ટર શ્રેયાબેન મેહુલભાઈ શાહ દ્વારા આ અંધાપા નિવારણમાં સ્વયં લોકો લાભ લે તેમજ છેવાડાનો માણસ અંધ ના રહી જાય તે માટે કાયમી આંખના નિદાન ઓપરેશનની સગવડનો જનતાએ લાભ લેવા જણાવાયું છે.
દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ દાહોદ દ્વારા તારીખ ૦૭-૦૭-૨૦૨૬ થી ૨૭-૦૭-૨૦૨૬ સુધી દ્રષ્ટિ નેત્રાલય દાહોદ ખાતે મોતિયાના મફત ઓપરેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે. રોજ સવારના ૮ વાગ્યાથી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ ચાકલીયા રોડ દાહોદ જીઆઇડીસી પાસે મોતિયાના મફત તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેત્રયજ્ઞ દાહોદ શહેર અને આસપાસના ગામોના ગરીબ અને જરિયાતવાળા લોકો લાભ લે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પમાં મોતિયા, ઝામર, ત્રાંસી આંખ, પડદા પરવાળા, બાળ મોતીયા તમામ આંખની તકલીફ વાળા દર્દીઓની તપાસ કરી દ્રષ્ટિ નેત્રાલય ખાતે ઓપરેશન વાળા દર્દીઓ માટે જમવાનું રહેવાનું તેમજ નેત્રમણી સાથે અત્યંત આધુનિક અને અધતન સગવડો થી સુસજજ દ્રષ્ટિ નેત્રાલય ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે. તપાસ કરાવવા આવનાર દર્દીઓએ રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે એક સગાને લાવવો ફરજીયાત છે. દ્રષ્ટિ નેત્રાલય દાહોદના પ્રબંધક ડાયરેકટર ડોક્ટર શ્રેયાબેન મેહુલભાઈ શાહ દ્વારા આ અંધાપા નિવારણમાં સ્વયં લોકો લાભ લે તેમજ છેવાડાનો માણસ અંધ ના રહી જાય તે માટે કાયમી આંખના નિદાન ઓપરેશનની સગવડનો જનતાએ લાભ લેવા જણાવાયું છે.
