સાચા આદિવાસી સમાજના શૈક્ષણિક અને રોજગારીના અધિકારોના રક્ષણ માટે ભિલોડા કોંગ્રેસ દ્વારા રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલા નકલી આદિવાસી પ્રમાણપત્રોના વિવાદ વચ્ચે આજે ભિલોડા કોંગ્રેસના હોદ્દેદારો અને આદિવાસી આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખોટા સર્ટિફિકેટના આધારે બિન-આદિવાસીઓ હક મારી રહ્યા છે, જેને રોકવા માટે સરકારે તાત્કાલિક કડક તપાસ સમિતિ નીમવી જોઈએ.

