Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાટણના ખાલકપુરામાં અનાથ બાળકોની વહારે આવ્યા સિટી 'એ' ડિવિઝન PI અને તેમની ટીમ, માનવતા મહેકી

પાટણના ખાલકપુરામાં અનાથ બાળકોની વહારે આવ્યા સિટી 'એ' ડિવિઝન PI અને તેમની ટીમ, માનવતા મહેકી

પાટણ સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ખાલકપુરા ખાતે રહેતા પિન્કીબહેન ભરતભાઈ પટણી નું તાજેતરમાં અવસાન થતાં તેમના બે નાના બાળકો નિરાધાર બન્યા હતા.બાળકોના પિતાનું પણ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.

ત્યારે આ દુઃખદ પરિસ્થિતિને ધ્યાને રાખી,બંન્ને અનાથ બાળકોનું ગુજરાન ચાલે અને તેમનો અભ્યાસ અટકે નહીં તે હેતુથી પાટણ સિટી એ ડિવીઝન પીઆઈ સહિત પોલીસ ટીમે માનવતાના ધોરણે બુધવારે બંન્ને અનાથ બાળકોના ઘરે જઈ રૂબરૂ મુલાકાત લઈ બંન્ને બાળકો ને સાંત્વના પાઠવી પોલીસ ટીમ દ્વારા રાશન કીટ સાથે બન્ને બાળકોના અભ્યાસ માટે નોટબુક્સો અપૅણ કરી ભવિષ્યમાં પણ બંને બાળકોના શિક્ષણ અને જીવન નિર્વાહ માટે શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી.

પાટણ એ ડિવીઝન પીઆઈ સહિત સમગ્ર પોલીસ ટીમની અનાથ બનેલ આ બંન્ને બાળકો પ્રત્યેની કરૂણાને સૌએ સરાહનીય લેખાવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal