ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને 23 જૂનના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોહિતને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સિદ્ધિઓ માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2024નું વર્ષ રોહિતના કરિયર માટે મહત્વપૂર્ણ રહ્યું. આ વર્ષે, તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઇન્ડિયાએ બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

