Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિજયનગરના પાલ હાથમતી નદી પટમાં ભક્તિભાવથી દશામાની પ્રતિમાઓનું વિસર્જન

વિજયનગરના પાલ હાથમતી નદી પટમાં ભક્તિભાવથી દશામાની પ્રતિમાઓનું વિસર્જન

ષાઢ વદ અમાસથી શરૂ થઈ શ્રાવણ સુદ દશમ સુધી ભક્તિસભર માહોલમાં ઉજવાતા દશામાના ૧૦ દિવસીય પાવન વ્રતની ઠેર ઠેર પૂર્ણાહુતિ થઈ છે.

પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે માઈભક્તોએ અષાઢ વદ અમાસના પવિત્ર દિવસે ઘરમાં માટીની મૂર્તિની સ્થાપના કરી હતી. દસ દિવસ સુધી કંકુ, અક્ષત, પુષ્પ, ધૂપ-દીપ અને નૈવેધ્ય સાથે નિયમિત પૂજા-અર્ચના, આરતી તેમજ વ્રત કથાનું શ્રવણ કર્યા બાદ વિજયનગર તાલુકાના પાલ સ્થિત હાથમતી નદીના પટમાં માં દશામાની પ્રતિમાઓનું ભાવપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે પાલ, દઢવાવ, ચીતરીયા, મોતપુરા, આમોદરા, કોડીયાવાડા, બાલેટા, ગાડી, વાકડા, સામૈયા તેમજ પીપલોટી સહિતના આસપાસના ૧૫થી વધુ ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ડીજેના તાલે ગરબે ઘૂમતા અને જયઘોષ સાથે હાથમતી નદીના કિનારે પહોંચ્યા હતા. નદી તટે સૌ ભક્તોએ એકત્ર થઈ માતાજીની અંતિમ મંગળા આરતી ઉતારી હતી. અને આવતા વર્ષે વહેલા પધારવાના ભાવ સાથે ભીની આંખે મૂર્તિઓનું પવિત્ર જળમાં વિસર્જન કર્યું હતું, જેના પગલે સમગ્ર નદી પરિસર "જય દશામા"ના નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal