ધોરાજી, તા.5 ધોરાજી નિવાસી સ્વ નાગજીભાઈ સવજીભાઈ ઢોલરીયાનું અવસાન થતા તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું. સ્વ. નાગજીભાઈ ની પહેલે થી ઈચ્છા હતી કે મારે દેહદાન કરવું છે તેના ઈચ્છા મુજબ પરિવાર દ્વારા જૂનાગઢ હોસ્પિટલ ખાતે જાણ કરતા તેમની ટીમ દ્વારા ધોરાજી આવેલ હતા અને ઢોલરીયા પરિવાર ની સેવા ની બિરદાવી હતી.
આ તકે પરિવાર ના જેન્તીભાઈ નાગજીભાઈ ઢોલરીયા, રમેશભાઈ નાગજીભાઈ ઢોલરીયા, સાગર જેન્તીભાઈ ઢોલરીયા, ક્રિશ રમેશભાઈ ઢોલરીયા, મોનાબેન, બંસીબેન,સુશાંત,ગૌરવ સહીત ના લોકો એ નાગજીભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.
આ તકે ઢોલરીયા પરિવાર ની સેવા બિરદાવી હતી. ધોરાજીના ઢોલરીયા પરિવારે સમાજને નવો રાહ ચિંધેલ છે.

