રાજકોટ, તા.4 ગોંડલ પાસે ખૂંટીયો આડો ઉતરતા ઘોઘાવદરના બાઈક ચાલક પુનાભાઈ ઘવાયા હતા. પુનાભાઈ ભાયાભાઈ સોરીયા (ઉંમર વર્ષ 40, રહે.ઘોઘાવદર ગામ, તાલુકો ગોંડલ) ગઈકાલે રાત્રે 1:30 વાગ્યા આસપાસ ઘોઘાવદર અને ગોંડલ વચ્ચે ત્રિશુલ મીની ટ્રેક્ટર કંપની પાસે બાઈક લઈને જતા હતા ત્યારે ખૂંટીયો આડો ઉતરતા અકસ્માત થયો હતો. તેમને માથે અને શરીરે ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્ત તલકમાં તેઓને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.

