ચેન્નઈ તા.2 તામિલનાડુમાં ડીએમકે અને અન્નાડીએમકે જેવા બે ધરખમ પક્ષોને પરાજીત કરી ચુંટણી જીતનાર અભિનેતા તથા મુખ્યમંત્રી શી વિજય જોસેફ હવે તેના પક્ષ ટીવીકેને મજબૂત કરવાની તૈયારી છે અને તે ભાજપની સ્ટાઈલથી ડીએમકે અને અન્નાડીએમકે બંનેના નેતાઓને સામેલ કરી રહ્યા છે. સૌપ્રથમ અન્નાડીએમકે તુટશે તે નિશ્ર્ચિત છે. અગાઉ પણ આ પક્ષમાં ભાગલા પડયા હતા.
પરંતુ હજુ તેના નેતાઓ પુરી રીતે ટીવીકેમાં સામેલ થયા નથી પણ 15 પુર્વ ધારાસભ્ય અને પાંચ પુર્વ મંત્રી ટીવીકેમાં સામેલ થઈ રહ્યા છે. જેમાં પુર્વ કેન્દ્રીય મંત્રી એમ.કે.અલ્લાગીરીના પુત્રી કાયલવિધિ પણ સામેલ છે. એ જ રીતે ડીએમકેને પણ તોડવા માટે ટીવીકે આગળ વધી રહ્યું છે.

