સાંજ સમાચાર
303k Followersનવી દિલ્હી,તા. 28
કેન્દ્ર સરકારે હવે નવી પેન્શન યોજના સાથે જોડાયેલા કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી, 2023થી તેના રોકાયેલા ભંડોળમાંથી ઉપાડ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. અગાઉ કોવિડના કારણે કર્મચારીઓને આ ભંડોળમાંથી ઓનલાઇન ઉપાડની સુવિધા આપવામાં આવી હતી પરંતુ હવે તે સુવિધા પાછી ખેંચી છે અને આગામી વર્ષથી કર્મચારી એનપીએસમાંથી ઉપાડ માટે અરજી કરી શકશે અને તેણે આ અરજી સંબંધીત નોડલ અધિકારી મારફત આપવાની રહેશે.
જેમાં બાળકોના ઉચ્ચ શિક્ષણ, બાળકોના લગ્ન, ઘર, ખરીદી અથવા નિર્માણ કે ગંભીર બિમારીઓના ઇલાજ માટેજ આ નાણા ઉપાડી શકશે અને તે માટે જે તે નોડલ અધિકારી મારફત અરજી કરવાની રહેશે અને વર્તમાન નિયમો મુજબ તેમાં ઉપાડની મર્યાદા લાગુ થઇ છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar