Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાવરકુંડલા: પાઠ્ય પુસ્તકોનો પુરવઠો પુરો પાડવા માંગ

સાવરકુંડલા: પાઠ્ય પુસ્તકોનો પુરવઠો પુરો પાડવા માંગ

મરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ- 1 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોની અછત અંગે ત્વરિત કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર ગત તારીખ- 8 જૂનથી શરૂ થઈ ગયું છે. જેને 20 દિવસથી વધુનો સમયગાળો થઈ ગયો હોવા છતાં ધોરણ- 1 થી 12 સુધીના વર્ગોના પાઠ્યપુસ્તકોની ખૂબ જ અછત જોવા મળી રહી છે.

સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓ તથા સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે શાળા પ્રવેશોેત્સવ, ગુણોત્સવ, જેવા અનેકવિધ પ્રયાસો અને કાર્યક્રમો કરવામાં આવે છે.

ત્વરિત કાર્યવાહી કરવા, રાજ્યમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળી રહે તેવી વ્યવસ્થા કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા ને પત્ર પાઠવી સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar