Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિઠલાણી પરિવારે કોઈપણ જાતની અપેક્ષા વગર ટ્રસ્ટને સોંપી દીધું

વિઠલાણી પરિવારે કોઈપણ જાતની અપેક્ષા વગર ટ્રસ્ટને સોંપી દીધું

લાયા,તા.4 સલાયા ગામમાં મુખ્ય બજાર શાક માર્કેટ પાસે સલાયા ગૌશાળા પાંજરાપોળની એક જગ્યા જેમાં મકાન હતું એ ઘણા વર્ષોથી સલાયાના રઘુવંશી સ્વ.લક્ષ્‍મીદાસ રામજીભાઈ વિઠલાણી પાસે હતું. અને તે એ મકાનમાં રહેતા હતા.અને એમની પાસે એમનો વર્ષોથી કબજો હતો.

થોડા સમય પહેલા એમના અવસાન બાદ એમના પરિવારના જ્યોતિબેન નરેન્દ્રભાઇ વિઠલાણી દ્વારા આ એમના પિતાનું મકાન જે સલાયા ગૌ શાળા પાંજરાપોળનું હતું.

આ મકાન પાંજરાપોળના ટ્રસ્ટી કિશોરભાઈ તન્ના,દિનેશભાઈ દત્તાણી,પરેશભાઈ કાનાણી,દીપકભાઈ કાનાણી તેમજ આગેવાનોની હાજરીમાં એ પણ કોઇ જાતની કિંમત કે અપેક્ષા વગર વિનામુલ્યે સોંપી આપેલ છે. આ સારા કાર્ય બદલ તમામ ટ્રસ્ટીઓ અને સલાયાવાસીઓએ એમને આ કાર્ય બદલ શુભેક્ષાઓ આપી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar