સંસદમાં ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવાના પ્રયાસોના ભાગ રૂપે, આજે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાહુલ ગાંધી વચ્ચે લાંબી બેઠક થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં સીમાંકન બિલ પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની શક્યતા પર ચર્ચા થઈ હતી. સૂત્રો સૂચવે છે કે સરકાર ૧૫ ઓગસ્ટ પછી સંસદનું ખાસ સત્ર બોલાવી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર ખાસ સત્રમાં સીમાંકન બિલ પર ચર્ચા કરવાનો અને તેને પસાર કરવાનો પ્રયાસ કરશે.
આ સંદર્ભમાં, સરકાર બિલ પર વ્યાપક સર્વસંમતિ બનાવવા માટે વિવિધ રાજકીય પક્ષોનો સંપર્ક કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુને સંસદમાં ગતિરોધ તોડવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જાશી, પિયુષ ગોયલ, અર્જુન રામ મેઘવાલ અને એસ. મુરુગનને આ મુદ્દા પર અન્ય વિપક્ષી પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓ વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરશે.વધુમાં, સરકાર આવતા અઠવાડિયે સંસદમાં વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, ૨૦૨૬ (એફસીઆરએ સુધારા બિલ, ૨૦૨૬) રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ વિદેશી યોગદાનને નિયંત્રિત કરતા હાલના કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂકશે.
જાકે, સરકારે હજુ સુધી ખાસ સત્રની તારીખ અને કાર્યસૂચિની સત્તાવાર જાહેરાત કરી નથી. સૂત્રો સૂચવે છે કે આગામી દિવસોમાં ઔપચારિક નિર્ણય લેવામાં આવી શકે છે.એ નોંધવું જાઈએ કે કોંગ્રેસ પાર્ટીએ પહેલાથી જ સીમાંકન બિલનો પોતાનો વિરોધ સ્પષ્ટ કરી દીધો છે. સંસદના ચોમાસુ સત્ર પહેલા યોજાયેલી કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં, પાર્ટીએ નિર્ણય લીધો હતો કે જા સરકાર સીમાંકન બિલ રજૂ કરશે, તો તે તેનો વિરોધ કરશે.

