Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૯૩મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વ રોગ કેમ્પ યોજાશે

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૯૩મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વ રોગ કેમ્પ યોજાશે

Sanjog News 3 days ago

લાલાના ધારી રોડ સ્થિત ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ૧૨ ઓગસ્ટ ૨૦૨૬, બુધવારના રોજ ૨૯૩મા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ અને જીલ્લા અંધત્વ નિવારણ સમિતિના સહયોગથી યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી દવાઓ પૂરી પાડવામાં આવશે.

નેત્રરોગના જરૂરી દર્દીઓને ફેકો ટેકનોલોજી દ્વારા વિનામૂલ્યે ઓપરેશન અને નેત્રમણીની સુવિધા મળશે, જેના માટે દર્દીઓએ જરૂરી આધારકાર્ડની નકલો સાથે લાવવાની રહેશે. આ ઉપરાંત દાંતની તમામ સારવાર તેમજ શ્વાસ, ડાયાબિટીસ, હરસ-મસા અને વા જેવા વિવિધ રોગોનું પણ નિઃશુલ્ક નિદાન કરાશે. સંસ્થાના વડા ડો. રતિદાદાએ ચલાલા અને આસપાસના ગ્રામજનોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News