થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ ૨૩૭૯ ને થોડા સમય માટે ભારે પવન ફૂંકાયો (ટર્બ્યુલન્સ)નો સામનો કરવો પડ્યો. આ સમય દરમિયાન, વિમાનની ઊંચાઈમાં થોડો ફેરફાર થયો. એરલાઇનના પ્રવક્તાએ આ માહિતી આપી.એરલાઇનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું. બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળી ગયા.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ ગંભીર ઇજાના અહેવાલ નથી.પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને નાની મોટી ઇજાઓ થઈ છે. સાવચેતી રૂપે, તેમને તબીબી તપાસ અને સારવાર માટે એરપોર્ટ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાની એરપોર્ટ ટીમ અને તબીબી સ્ટાફ તેમની સંભાળ રાખી રહ્યા છે.એર ઇન્દીયયે જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સલામતી અને આરોગ્ય તેની ટોચની પ્રાથમિકતા છે. અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તે આ બાબતની તપાસમાં સંબંધિત અધિકારીઓને પણ સંપૂર્ણ સહકાર આપી રહી છે.

