લાઠીના છભાડીયા ગામની સીમમાં આગથી ખેડૂતને ૯૫ હજારનું નુકસાન થયું હતું. આ અંગે રમેશભાઈ વાલજીભાઈ મેવાડા (ઉ.વ.૪૨)એ દિલીપભાઈ બચુભાઈ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતાની આભાર - નિહારીકા રવિયા ખેતીવાડીમાં તુવેરના ઠુંઠા (ડાળીઓ) અને ખડ સળગાવ્યું હતું. જે આગ તેમની વાડીમાં સુકવણી કરેલી જુવારની નિરણ તથા જુવારનું બિયારણમાં લાગવાથી તેને રૂ.૯૫,૦૦૦નું નુકસાન થયું હતું.
ફરિયાદ પરથી દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી એ ચારોલા ઘટના અંગે વધુ તપાસ કરી રહ્યા છે.

