Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઓલરાઉન્ડર શશાંક સિંહે છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આરોપો લગાવતા પોતાની હોમ ટીમ છોડી

ઓલરાઉન્ડર શશાંક સિંહે છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આરોપો લગાવતા પોતાની હોમ ટીમ છોડી

Sanjog News 1 week ago

પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર શશાંક સિંહે એક મોટો નિર્ણય લીધો છે. તેણે છત્તીસગઢ ટીમ છોડી દીધી છે અને હવે ૨૦૨૬-૨૭ સીઝનથી પુડુચેરી માટે રમશે. શશાંકે જણાવ્યું કે તેને છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશનના કેટલાક અધિકારીઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો હતો.ક્રિકઇન્ફોને ટાંકીને છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ખેલાડીએ ર્દ્ગંઝ્ર માટે વિનંતી કરી હતી, જે મંજૂર કરવામાં આવી છે.

તેમણે જે કંઈ કહ્યું તે તેમનો પોતાનો અભિપ્રાય છે, અને એસોસિએશન આ બાબતે વધુ ટિપ્પણી કરવા માંગતું નથી. ક્રિકઇન્ફો સાથે વાત કરતા શશાંક સિંહે કહ્યું, "હું છત્તીસગઢ છોડી રહ્યો છું. મેં છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન પાસેથી એનઓસી મેળવ્યું છે અને ૨૦૨૬-૨૭ સીઝનથી પુડુચેરી માટે રમીશ."શશાંકે વધુમાં જણાવ્યું હતું કે ગયા સીઝનમાં તેમને ખભા અને આંગળીમાં ગંભીર ઇજાઓ થઈ હતી, પરંતુ છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશને તે મુશ્કેલ સમયમાં તેમને બિલકુલ ટેકો આપ્યો ન હતો. તેમણે વધુમાં જણાવ્યું કે સીઝન સમાપ્ત થયા પછી, છત્તીસગઢ ક્રિકેટ પ્રીમિયર લીગ ૨૦૨૬ માટે ખેલાડીઓની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું હતું.

વધુમાં, બેંગલુરુમાં પ્રી-સીઝન કેમ્પ માટે પસંદ કરાયેલ છત્તીસગઢ ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જ્યારે તેમણે કારણ પૂછ્યું, ત્યારે તેમને કોઈ જવાબ મળ્યો નહીં.શશાંકે આરોપ લગાવ્યો કે તેમના પર સ્થાનિક ક્રિકેટ નહીં પણ ફક્ત આઇપીએલ રમવાનો આરોપ છે. સત્ય એ છે કે ગયા વર્ષે જ, મ્ઝ્રઝ્રૈંએ તેમને લાલા અમરનાથ એવોર્ડથી સન્માનિત કર્યા હતા, જેમાં તેમને ૨૦૨૩-૨૪ સ્થાનિક મર્યાદિત-ઓવર સીઝનના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે માન્યતા આપવામાં આવી હતી. ૩૪ વર્ષીય ખેલાડી હવે પુડુચેરી ટીમ માટે મર્યાદિત-ઓવર ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તે આ સીઝનમાં રેડ-બોલ ક્રિકેટમાંથી વિરામ લેશે અને ટી ૨૦ ક્રિકેટમાં વધુ સારા ઓલરાઉન્ડર બનવા માટે પોતાની બોલિંગ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News